SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી સુશીલા ર૭૫ મોટા ભાગે તેમાં સ્ત્રીઓ હતી. અને સૌના હાથમાં અક્ષત કે ફૂલ થાળ હતાં. સતીને વધાવવા માટે સૌ અગાઉથી જ તૈયાર બનીને આવ્યાં હતાં. સમય થતાં જ રથમાં બેસી સુશીલા દેવસેન અને કેતુસેનને લઈને આવી. દૂરથી તેણે ભાવથી વીતરાગ પ્રભુને મને મન પ્રણામ કર્યા. અને પિતાના આત્માને ઉદ્દેશી બોલી: “હે શાસન દેવતા ! આજ સુધી મેં મનથી, વચનથી કે કાયાથી કઈપણ પરપુરુષને સેવ્યું નથી. આ અંગે મારી હેજે પણ ખલના થઈ હોય તો જરૂર તમે મને શિક્ષા કરજે. પરંતુ તેમાં હું જે અણિશુદ્ધ હોઉં તો આ કળશને તમે સ્થિર કરજે.” પ્રાર્થના કરી સુશીલાએ બાળકો સાથે પ્રવેશ કર્યો. એ જ સમયે શિલ્પીઓએ શિખર ઉપર કળશ ચડાવ્યો. થોડા જ પ્રયત્નોમાં શિખર ઉપર કળશ સ્થિર થઈ ગ. એ આખી રાત સુશીલા અને બાળકોએ તેમજ અન્ય પરિવારે એ મંદિરમાં ધર્મ જાગરણું કર્યું. પ્રજાજનેમાંથી પણ કેટલાક એ રાતે ત્યાં રોકાયા. અને વહેલી સવારમાં તો લેકની હકડેઠઠ જામવા લાગી. લોકે ટોળાબંધ ત્યાં આવવા લાગ્યા. સવારના સૂર્યે પોતાનું પ્રથમ કિરણ એ સુવર્ણ કળશ ઉપર ફેંકયું. કળશ ઝગમગી ઊઠયો. ઘણા દિવસો બાદ કળશ ઉપર સૂર્ય કિરણે વિસ્તરી રહ્યાં હતાં. જિનાલય બંધાયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy