SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 184 ભીમસેન ચરિત્ર લાગે. અને ભાગતે ભાગતો નગરની બહાર નીકળી ગયે. ત્યાં એક વડ નીચે જઈને ઊભો રહ્યો. - વડની વડવાઈઓ ફણિધર નાગની જેમ નીચે લબડી રહી હતી. એ જોઈને ભીમસેને વિચાર કર્યો. આ વડવાઈઓ મારે ઉદ્ધાર કરી શકશે. મારા ગળા ફરતી એ વીંટળાઈને મારા દુઃખને નાશ કરી શકશે અને મારા જીવનને પણ અંત આણશે. લીમસેને આ દુઃખી જિંદગીનો અંત લાવવાનો પાક નિર્ણય કરી લીધું. હવે મેત બે આંગળ જ છેટુ છે, એમ સમજીને અંત સમય સુધારી લેવા મન-વચન અને કાયાને એકાગ્ર કરી વીતરાગ દેવનું સમરણ કરવા લાગ્યા. ઘણા જ ઉત્કટ ભાવથી નમસ્કાર મહામંત્રનું થડા સમય માટે પારાયણ કર્યું. અને પછી પિતાના જીવન દરમિયાન જે કંઈ જાણતાં અજાણતાં સ્થળ અને સૂમ અપરાધે કર્યા હોય તેને યાદ કરવા લાગ્યો. અને જગત સમસ્તના જીવોને ઉદેશીને એ પ્રગટ કહેવા લાગ્યા : " હે જીવરાશીઓ ! મેં અજ્ઞાનતાથી, આળસ કે પ્રમાદ વશ બનીને તમારા અનેક અપરાધ કર્યા હશે, તમને દુઃખ આપ્યું હશે, સંતાપ્યા હશે, તમારા આત્માને દુભાવ્યું હશે. તમારા અંતરને કલેશ કરાવ્યું હશે. મારા કેઈ કાર્ય ને વિચારને લીધે તમારે આ અને રૌદ્ર ધ્યાન કરવું પડ્યું હશે. એ સર્વ પાપની હું આપ સૌની નમ્ર ભાવે ક્ષમા માગું છું, મારા એ તમામ અપરાધને તમે સૌ માફ કરજે. * લીધે ii હું આજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy