________________ 166 ભીમસેન ચરિત્ર મળશે જ અને હવે સર્વ દુઃખોનો અંત આવી જશે, એવી આશા અને ઉત્સાહથી અરિજયને મળવા આવ્યો હતો. પણ અહીં તે ઉર્ જ જોવા મળ્યું. રાજાએ જરાય દયા ન બતાવી. કામની સ્પષ્ટ ના પાડી દીધી. ભીમસેનની આશાના ચૂરેચૂરા થઈ ગયા અને ભાંગેલા હૈયે તે ધનસારને ત્યાં પાછા આવ્યા. “અરે! ભીમસેન ! આમ મેં કેમ ઉતરી ગયું છે? શું રાજાએ તારું કામ ન કરી દીધું ?" ધનસારે પૂછ્યું. . “શેઠજી ! જ્યાં નસીબ જ વાંકું હોય, ત્યાં કેણ કેનું કામ કરે ? બધી કમની જ લીલા છે. કર્મથી જ માનવી ચક્રવતી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થાય છે. કર્મના જ પ્રતાપથી માનવીને સુખ અને સંપદા મળે છે અને કમના જ પ્રતાપે માનવી રંક અને દીન બને છે. સારુંય જગત આ કર્મના તાંતણાથી ગુંથાયેલું છે. જેને જેવું પૂર્વે કર્મ કર્યું હોય, તેવું તેણે તેનું ફળ ભેગવવું પડે છે. મારાં પણ કર્મ કુટલાં ત્યારે જ ને, આજ મારું કામ ન થયું ને?” ભીમસેને ભારે વ્યથિત હૈયે બધી હકીકત જણાવી. “જેવી ભવિતવ્યતા ! બીજુ શું ? પણ ભાઈ! તું વૃથા શક ન કરીશ. ચિંતામાં તારું કાળજું બાળી ન નાંખીશ. હિંમત રાખ. છ મહિના પછી રાજાને જમાઈ આવશે, તેને તું મળજે. તે તારું દુઃખ જરૂર દૂર કરશે. ત્યાં સુધી તું ભલે મારી દુકાને જ કામ કરજે.” ધનસારે ભીમસેનને આશ્વાસન અને આશરે બંને આપ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust