________________ 142 ભીમસેન ચરિત્ર જ્યાં ધણું જ રૂઠો હોય, ધણું જ એક ગુલામડીના રૂપમાં આંધળો બન્યું હોય, ત્યાં મારું શું ચાલે? અરેરે! હાય રે મને તો આ દાસીએ બરબાદ કરી નાંખી ! એક તે મારા એણે વાસણ વેચી નાંખ્યાં...ઘરેણાં ચોરી ગઈ.અને હવે મારા ધણને કામણ કરવા બેઠી છે.” ભદ્રાનું આ નવું સ્વરૂપ જોઈને તો સુશીલા, ભીમસેન અને શેઠ ત્રણેય સજડ થઈ ગયાં. સુશીલાના શરીરમાંથી જાણે લોહી ઊડી ગયું. તેનું હૈયું આક્રંદ કરી ઊઠયું : સમભાવથી તેણે ચેરીને આપ સાંભળી લીધે. પણ ભદ્રાને ચારિત્ર્ય ઉપરને આ આક્ષેપ તેનાથી સહન ન થયો. છતાં પણ મનને કાબૂ ગુમાવ્યા વિના, ખૂબ જ શાંતિ અને નમ્રતાથી તેણે કીધું શેઠાણી મા ! તમે આ શું બોલે છે? શેઠ તે મારા પિતા સમાન છે. હું તો તમારી દીકરી બરાબર છું..” - સુશીલાનું આ બોલવું આગમાં ઘી પડવા જેવું બની ગયું. ભદ્રાને એથી બળ મળ્યું. તે તરત જ તેને ઝપટમાં લેવા લાગી ? જોઈ જોઈમેટી દીકરી બનવાની વાત! શરમ નથી આવતી તને આવું કહેતા ? કયાં તું એક ગુલામડી ને કયાં અમે ? અને આમ કાલું કાલું બોલીને જ તે મારા ધણને ફસાવી નાખે છે. હું તારી જાતને ઘણું ઓળખું છું. કુલ્ટા ! તારો ધણું મરી ગયો છે તે મારા ધણને હવે કામણ કરવા માંડ્યાં છે? એક તો તે ચોરી કરી, ને ઉપરથી શીરજેરી કરે છે. ન જાણે તે આવા તે કેટલાય ઘર ભાંગ્યા હશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust