SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ' જેમિનિના પ્રકત મતની વ્યાખ્યા. રહેવાને સમય નિણીત થયો છે. હાલ એ સમય પૂર્ણ થયો છે. એથી* હવે હું સ્વસ્થાને જઈશ " ઉભયભારતીના બેલવા ઉપરથી શંકરે વિચાર્યું જે ઉભયભારતી સાક્ષાત દેવી સરસ્વતી છે. તેના ઉપર જય મેળવી શકે. ' વાથી મારા પોતાના મતની રક્ષા થાશે. નહિ તો હું સનમાન વૃદ્ધિ કરવા, સારૂ એવી રીતનું કાર્ય કરવા વતી નથી. શંકરે ઉભયભારતીને કહ્યું " મા ! હું તમારો સેવક છું તમે આ ભકતને છોડી સરસા ચાલ્યા જશે નહિ. જ્યારે હું તમને જવાની અનુજ્ઞા કરું ત્યારે તમે જશો. ઉભયભારતીને શંકરના કહેવા પ્રમાણે કરવાની જરૂર પડી. - ત્યાર પછી શ કર મંડન મિશ્રને અભિપ્રાય જાણવા સારૂ ઉત્સુક થયા મંડનમિશ્ર સંશયાપન્ન થઈ કરી વાર કહ્યું " હે ચતિવર ! હાલ હું આ અભિનવ પરાજ્યથી વિવાદ પામ્યો નથી, * કિંતુ આ મોટા શોક અને પરિતાપનો વિષય છે જે તમે મહર્ષિ જમિનિનાં સઘળા વાકયનું ખંડન કર્યું, તે માટે હું અતિશય દુર્બળ થઈ પડે છું. ત્યારે શંકરે કહ્યું “મહર્ષિ જૈમિનિને કાંઈ પણ દોષ નથી. આપણે જ અનભિજ્ઞતાનાં લીધે મુનિનો અભિપ્રાય યથાર્થ રીતે પ્રમાણ કરી શકતા નથી.” તે સમયે, મંડનમિએ, જૈમિનિના પ્રકૃતિ અભિપ્રાય જીજ્ઞાસુ થઈ શંકરને કહ્યું, મંડન મિશ્ર કહે છે એટલામાં શંકર બોલવા લાગ્યા. " મહર્ષિ જમિનિ ખુદ પરબ્રહ્મ વિષયે અત્યંત અનુસંધિત્સુ હતા. પણ જેઓની બુદ્ધિ એકાંત વિષયાસકત, ને સઘળા સંસારી લોકોના ઉપ૨ અનુગ્રહ કરવાના ઉદ્દેશે, સાધારણની શી રીતે બ્રહ્મ પ્રાપ્તિ થાશે, તેનો ઉપાય શો! અને તેનું સાધન શું ! તેના નિર્ણયના સારૂ કેવળ નિરતિશય પુણ્યકર્મનું તેમણે નિરૂપણ કર્યું છે કિંતુ બ્રહ્મનું નિરૂપણ તેમણે કર્યું નથી " તમેતે વેરાનું વજન ત્રાહ્મણ વિવિા રાત " બ્રાહ્મણ વેદ વાક્ય દ્વારા તેને જાણવા ઇચ્છે છે ઇત્યાદિ વેદવચન દ્વારા કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પેદા થાય તેના સારૂ કેવળ બ્રહ્મચર્યાદિ સધળા ધર્મનું વિધાન થયેલું છે, અને એ વેદ વચનના મતાવલંબી થઈ મુક્તિ પ્રાર્થ જમિનિએ સધળો ધમ નિર્ધારિત કર્યો છે તે વિલક્ષણ રીતે માલુમ પડે છે. . મંડનમિઝો ફરીવાર આ શંકા કરી પૂછયું " સઘળો વેદ સંપૂર્ણ રીતે કોઈ કોઈ ક્રિયાને અર્થ પ્રકાશ કરી સફળ થાય છે અને કેટલાંક વેદ વચન વળી કોઈ પણ ક્રિયાનો અર્થ પ્રકાશ કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy