SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ માહિષ્મતી નગરીમાં ગમન. 47 . થાઓ. ભૂતલવાસી પંડિતો શું આપણે એ તર્ક સુધા ગ્રહણ કરશે નહિ? તિવર ! જ્યારે હું શાસ્ત્રનો વાદવિવાદ કરવા કબુલ થાઉં છું ત્યારે તમારે ભીક્ષા ગ્રહણ કરવી. એ વાત બોલવી અત્યંત સંગત છે. આપે નિશ્ચય જાણી લેવું જે મંડનમિશ્ર ખુદ કૃતાંતના નિયંતા ઈશ્વરને નાશ કરનારો છે શાથી કે મીમાંસકો બોલે છે કે જે નારિત મેં તકારએ એ મત દ્રઢ કર્યો છે. મારા તના પ્રભાવે ઈશ્વરનું નાવિ સપ્રમાણ થઈ ગયું છે. પૂર્વે હું બોલી ગયો છું જે હું હરકોઈ એક સારા વાદકર્તાની પ્રતીક્ષા કરી બેઠો હતો. સૌભાગ્યક્રમે આટલા દિવસે, મારી એ વાસના પૂર્ણ થઈ. હાલ સુધીમાં તમારા સિવાય બીજો કોઈ વાદકર્તા મારા ઘેર આવ્યો નથી. હું જાણું છું કે તમે ઉતમ વાદકર્તાઓમાં શ્રેષ્ઠ અને સમર્થન વાદકર્તા છો. તમે ભિક્ષુ છો જેથી આપણું બન્નેના વાદનું નિરાકરણ કરી દે એવો મધ્યસ્થ જોઈએ. આપણા જય પરાજયનું કોણ નિર્ધારણ કરી શકશે? એ વાત બોલી મંડન મિશ્ર પાસે રહેલા એ નિમંત્રિત બે પંડિતોને વિવાદના સાક્ષ્મકાર્યમાં સાક્ષી રહેવા અનુરોધ કર્યો. તેઓએ કહ્યું “સુધી વરી તમારી પત્ની ઉભયભારતી એ વિવાદના સાક્યકાર્યમાં નિયુકત થાય તો યુકત છે. અમે સારી રીતે જાણીએ છીએ કે તે સાક્ષાત સરસ્વતી છે તે શારદારૂપે ભૂતલે નારીવશે અવતરેલી છે. તેને એ કાર્યમાં વરણ કરો, તેમ થવાથી નિરપેક્ષ અને વાજબી વિચાર થાશે, પંડિતોની એ વાત પુરી થાતાં મંડનમિએ કૃતાંજલિ થઈ શંકરને કહ્યું “મહાશય ! આપે કૃપા કરી મારે ઘેર આગમન કર્યું છે. તેથી હું મારા આત્માને ધન્ય અને કૃતાર્થ માનું છું. આપણી વાદકથા આવતીકાલે ચાલશે. હાલ હું માધ્યાહિકકમ સંપન્ન કરવાની વાસના રાખું છું. નિ‘મંત્રિત એ બે પંડિતોના પ્રસ્તાવથી અને અનુમોદનથી ઉભયભારતીએ મધ્યસ્થતા સ્વીકારી. ત્યારપછી મંડન મિશ્ર, વેદોક્ત ત્રણ અગ્નિના જેવા એ ત્રણ અતિથિની અર્ચના કરી. તેઓ આહાર કરી બેઠા, તે સમયે મંડન મિશ્રના શિષ્યો તેઓને ચામર વજન કરવા લાગ્યા. તેઓએ ડે. સમયે પરસ્પર કથોપકથન કરી અતુલ અનિર્વચનીય આનંદને ભોગ કર્યો, ત્યારપછી નિયંત્રિત બ્રાહ્મણ વિદાય થઈ પિતાના અભણ્યાને * ગયા. શંકર અને તેના શિષ્યો કદંબ અને શાલ વૃક્ષ શેજિત રેવા તટના એક પરમ રમણ દૈવાલયમાં કામ કરવા લાગ્યા . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy