SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ .' કાશીવાશ અને સનંદન વગેરેની સાથે મેળાપ. 25 એક દિવસ, અતિ પ્રિય દર્શન એક બ્રાહ્મણ કુમાર તત્વજ્ઞાનના લાભ સારૂ શંકરના ચરણે આવી પડયો, શંકર, એ બાલકની અનિર્વચનીય દેડકાંતિ અને અપૂર્વ વિનય જોઈ અત્યત સંતુષ્ટ થયા, અને સત્વર ભૂતલ ઉપરથી ઉઠાડી શંકરે તેને પુછયું જે “હે બાલક ! તું કોણ છે? તું બ્રાહ્મણ છે કે ક્ષત્રિય ! તારું વાસ સ્થાન કયાં છે ? હાલ તું કયાંથી આવે છે ? તારા શરીરમાં લેશ માત્ર અહંકાર નથી, અને તારું ધૈર્ય જોઈ હું બીલકુલ પરિતુક થયો છું. " બ્રાહ્મણ કુમારે જવાબ આપ્યો કે " હે ગુરો ! હું બ્રાહ્મણ છું, પુણ્ય જેલવાળી કાવેરી નદીના તટે આવેલ ચેલ પ્રદેશ મારી જન્મભૂમિ છે, હું મહા પુરૂષનાં દર્શન કરવા સારું ભ્રમણ કેરતાં કરતાં હાલ આદેશમાં આવ્યો છું. આર્ય ! હું સંસારમેહે વિમુગ્ધ અને શંકિત છું. ભગવાન ! મારા ઉપર કૃપા કરી ! જેથી હું આ મહિપાશથી છુટું એ. ઉપાય બતાવે છે ગુરૂદેવ ! સંસાર માર્ગ બીલકુલ વિન સંકુલ છે, એ માર્ગમાં પત્યેક માણસનું ડગલે પગલે ખલન થાય છે, જે સઘળા આસામી આપના ઉપદેશ ઉપર શ્રદ્ધાશીલ છે, તેઓના વૈરાગ્યને, ઇદની અમરાવતી, સુધાંશુંની સુધા, કુબેરની - અલકાપુરી,અને ધર્મ રાજની મનોહર સોધમાલા, વિનિટ કરવા સમર્થનથી. આપના જેવા સંપૂર્ણ ઇંદ્રિયજયી મહાનુભાવના ચિતને સુક ચંદન વનિતા વિગેરે પાર્થિવ ભોગ્ય વસ્તુ આકણ કરી શકતી નથી. આપનું હૃદય એટલું બધું વાસના હીન છે કે તે ઇકત્વપદને ગણકારતું નથી. મારે એહિક કિંવા પારિત્રિક ભગવાસના નથી, સુધાંશુમાંથા ગળતા અમૃતના જેવાં આપના વાયામૃતનું પાન કરવા સારું મારું ચિત બીલકુલ સમુસુક છે. પ્રભુ ! આજ્ઞા આપો, આ સેવક પોતાનો જીવનકાળ, આપના ચરણે પ્રાંતમાં રહી ઉપાસના કરે છે. શંકર, બ્રાહ્મણ કુમારનું એવી રીતનું વૈરાગ્ય જોઈ અત્યંત પ્રસન્ન થયા. અને કરૂણા પર્વક તેને તતક્ષણ સન્યાસમાં દીક્ષિત કર્યો. આ બ્રાહ્મણ કુમાર પછી " સનંદન " ના નામે પ્રસિદ્ધ થયે. સાધુ, અને સમજુ આસામીઓ સનંદનને શકરનો આદિ શિષ્ય કહે છે. ત્યાર પછી કેટલાક દિવસ ઉપર ચિસુખ, આનંદગિરિ વગેરે એ અલોકીક વિરામ પામી શંકરનું શિખ્યત્વે ગ્રહણ કરી સન્યાસ આશ્રમનું અવલંબન કર્યું. કાશીધામમાં અવસ્થાનના સમયે, શંકરના એપ્રમાણે ઘણા લોકે શિષ્ય થયા. અનેક વયોવૃદ્ધ જ્ઞાનીઓ અને યુવા પુરૂષો, શંકરની 1 ચલ પ્રદેશ હાલના મહીસરાજ્યના દક્ષિણ ભાગ; તે કાવેરી નદીના વરે આવે છે P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy