SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ . : મંડનમિશ્ર. 13 ~~ ' કે બ્રાહ્મણ પત્નીએ, ઘતી કરને,ભક્તિપૂર્વક કેટલાંક આંબલીના ફળ આપ્યાં. નાની શંકર બ્રાહ્મણ પત્નીના વાકયે અત્યંત દયા ચિત્તવાળા થયા અને તે બ્રાહ્મણના દારિદ્રયમોચન સારૂ તેમણે પ્રાર્થના કરી. શંકરની તે પ્રાર્થના સફલ નીવડી થોડા સમયમાં તેજ દરિદ્ર બ્રાહ્મણનું ઘર સંપદથી ભરાઈ ગયું. એવી રીતનાં ચરિત મહાસ્યનું પ્રદર્શન કરાવતાં. શંકર, ગુરૂ ગહે વાસ કરવા લાગ્યા. સદા તત્વજ્ઞાન પિપાસું વિઘાર્થીઓ શંકરને વીંટળાઈ બેસતા હતા શંકર અત્યંત ઉંચા વક્તા હતા. તેમના કંઠદેશમાં યજ્ઞોપવીત તથા લલાટમાં ત્રિપુંડ શોભા પામતાં હતાં. તેઓ અતિશય સંયમી હતા. શંકરના ચરિતમાં એક વિશેષત્વ એ હતું જે શંકરના ચિતમાં કોઈ દિવસ વિકાર પેદા થતો નહિ શંકર યથાર્થજ, આત્મજયી હતા. શંકરના વાકચાતુર્ય, સૈતાંત્રિક, યોગાચાર્ય, માધ્યમિક, જૈન. ચાર્વાકર સાંખ્ય, મીમાંસક, પાતંજલ. નૈયાયિક, વૈશેષિક વગેરે ભિન્ન ભિન્ન મતવાદી દાર્શનિકની યુકિતઓ લય પામી જતી હતી. શંકર પ્રતિપક્ષી લેકની સાથે વિચાર કાળે પણ કોઈ દિવસ કોધને વશ થાતા નહિ, શંકર અત્યંત . ક્ષમાશીલ હતા. અને કોઈ દિવસ કોઈના તરફ પણ કઠોર વાયને * પ્રયોગ કરતા નહોતા. લોભ, અસૂયા, વિષ, અભિમાન વગેરે દુર્ગુણો શંકરના હૃદયમાંથી સંપૂર્ણ રીતે વિલોપ પામ્યા હતા. વિકારના અને પ્રલોભનના સમયે પણ શંકરનું હૃદય વિકૃત અને પ્રલુબ્ધ થાતું નહિ, . જનનીની પરિચય. . . * વેદ વગેરેનું અધ્યયન સમાપ્ત થઈ રહ્યા પછી બ્રહ્મચારી શંકર યથા સમયે, ગુરૂ કુળ થકી સમાવર્તન કરી ઘેર આવ્યા. જનનીની પરિચ, વેદ પાઠ યજ્ઞ વગેરે પવિત્ર કર્મ, તેમનાં નિત્ય અનુદ્ધેયં થયાં. શંકરને જોઈ યુવક લોકો, વનસલભ, હેપ હિંસા વગેરે દુર્ગણો ત્યાગ કરી શંકરને પૂર્ણ સન્માન આપતા હતા.વૃદ્ધ લોકો પણ શંકરને જોઈ આસન ત્યાગ કરી, શંકરને આસન આપતા હતા. સઘળા લોકો શંકરને ભાળી કૃતાંજલી થાતા હતા. જનની ભદ્રા. પુત્રનાં કોમળ વાકય, વિમળ ચરિત્ર, * 1 બાધ સંપ્રદાયના દાર્શનિક મત ચાર છે–સાતાંત્રિક, યોગાચાર્ય, માધ્યમિક-ભાસિક. 2 ચાર્વાકમત બ્રહસ્પતિએ પ્રવર્તાવેલ છે તેનું બીજું નામાકાયતિક 3. ગુરૂકુલથી પાછા ફરવું તેનું નામ સમાવર્તન. .. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy