SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શાંકરદશન. 189 સૂકચંદન વનિતા સંભાગાદિરૂપ આ જગતનસુખ ભોગ અને સ્વર્ગ ભેગાદિ સ્વરૂપ પારલૌકિક સુખ ભોગમાં જે એકદમ વિતૃષ્ણા , એવી માત્ર સાજણ લેવી. “શમાદિસંપત " શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા સમાધાન અને શ્રદ્ધાભેદે છ પ્રકારની છે. બ્રહ્મ શિવાય બીજા વિષયેના શ્રવણાદિથી મનને નિગ્રહ કરે તેનું નામ શમ. , બાદ્રિયને શ્રવણાદિ ભિન્ન વિષયથી નિવૃત્ત કરવી તેનું નામ દમ. વિહિત સઘળા કર્મને વિધિ પૂર્વક ત્યાગ કરવો તેનું નામ ઉપ- - રતિ. શીત વા ઉષ્ણતા વગેરે દ્વંદ્વની સહિષ્ણુતા કરવી તેનું નામ તિતિક્ષા. ઉપર લખેલા પ્રકારે ઇંદ્રિય નિગ્રહ કરી બ્રહ્મવા તદુપગી વિષયમાં મને નિવેશ કરે, તેનું નામ સમાધાન. અને ગુરૂ ઉપર તથા વેદાંતવાકય ઉપર વિશ્વાસ રાખવે તેનું નામ શ્રદ્ધા. અને મોક્ષેચ્છાને મુમુક્ષુત્વ કહે છે. . ઉપર લખેલા પ્રકારે બ્રહ્મજ્ઞાનમાં અધિકારી થઈ જ્ઞાનકાંડની આલોચના કરવાથી તરતજ બ્રહ્મ ભાવ પ્રાપ્તિ સ્વરૂપ મુક્તિ પામવાનું પાત્ર થવાય છે. બ્રહ્મ સત્ અર્થાત્ સત્ય સ્વરૂપ, ચિત અથાત ચેતન્યપદ વાચ્ય જ્ઞાનનું સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ. અખંડ અથત અને પરિછિન્ન, અદ્વિતીય, અને નિર્ધક અથત બ્રહ્મમાં જ્ઞાન વા સુખાદિ કોઈ ધર્મ નથી. બ્રહ્મ ખુદ જ્ઞાનસ્વરૂપ અને સુખસ્વરૂપ .. છે. અગર જો કે ઘટ જ્ઞાનથી પટજ્ઞાન ભિન્ન છે જેથી જ્ઞાનનું જુદા જુદા પણ પ્રતિપન્ન થાય છે, જ્ઞાનની બ્રહ્મ સ્વરૂપતા વા સઘળા જ્ઞાનની ઐકય સાધક કઈ યુક્તિ આપાતથી દષ્ટિ ગોચર થાતી નથી તો પણ વિશેષ વિવેચના કરી જેવાથી માલુમ પડશે કે વિષય સ્વરૂપ ઉપાધિનું જુદા જુદાપણું હોવાથી જ્ઞાનના જુદા જુદાપણાને માત્ર ભ્રમ હોય છે. વારતવિક રીતે જ્ઞાનનું જુદા ? જુદાપણું છે નહિ. સઘળાની સંવિદ એકજ છે, સર્વ. વિષયક સઘળા આસામીનું જ્ઞાન એક છે વિભિન્ન નથી એ જ્ઞાનનું બીજું નામ ચિતન્ય, ચેતન્ય જ્ઞાનથી. પૃથરા ભૂત નથી અને એ જ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy