SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 134. ભગવચ્છંકરાચાર્ય ચરિત. બ્રહ્માનંદને ઊપભેગ કરતા હતા. એવી રીતે પરમજ્ઞાની તિવર શંકરના જીવનના બત્રીસ વર્ષ ચાલ્યા ગયા. એક દિવસ શંકરે નિર્વિકલ્પ સમાધિને આશ્રય કરી આમલ્યધામને પરિત્યાગ કર્યો. પરબ્રહ્મ થકી વિકીરણ થયેલ તે જ પરમ જ્યોતિ જગતને આલોકિત કરી પાછું પરબ્રહ્મમાં લીન થઈ ગયું, ભગવાન શંકરાચાર્ય વેદ વ્યાસના વરદાનથી બત્રીસ વર્ષનું પરમાયુષ જોગવી કેદારનાથ પર્વતની પાસે અપ્રકટ થઈ ગયા. એ થોડા કાળમાં ભગવાન શંકરાચાર્ય સર્વશાસ્ત્રમાં સુપંડિત થઈ બદ્ધમત વિગેરેનું ખંડન કરી આર્ય ધર્મને ઉદ્ધાર કરી અદ્વૈતવાદની રથાપના કરી, બત્રીસ વર્ષની ટુંક મુદતની ઉમ્મરમાં ભગવાન શંકરાચાર્ય, બ્રહ્મસૂત્ર ભાષ્ય, દશેપનિષદ ભાષ્ય, તાસ્વતરોપનીષદભાગ્ય, ભારતૈક પંચરત્નભાષ્ય, આનંદ લહરી મોહમુગર; સાધનપંચક, યતિપંચક. આત્મબોધ, અપરાધ ભંજન, વેદસાર શિવસ્તવ, ગેવિંદાકક ચમકષય પદી, વિવેક ચૂડામણિ, અપરોક્ષાનુભૂતિ સ્વાત્મ નિરૂપણ, વાક્યવૃત્તિ વગેરે કેટલાક ગ્રંથો રચી જગતમાં અક્ષય કીતિ રાખી આર્ય ઘર્મનો પ્રચાર કર્યો છે, ભગવાન શંકરાચાર્યનું દીર્ધ ઇવેન થયું હતું તે . તે પોતે કેવાં અસાધારણઅને અલૈકિક કાર્ય કરતા તે કાંઈ કહી શકાતું નથી.. 1 એ પ્રવાદ પ્રચલિત છે કે શંકરાચાર્ય દિગવિજયના સમયે એક મોટું લોહ કહાહ સાથે રાખ્યું હતું, બાધ્ધ લોકોની સાથે શાસ્ત્ર વિચારમાં જ્યારે ભગવાન પ્રવૃત્ત થયા ત્યારે એ કઢાહ તેલથી ભરી તેને અગ્નિથી ખુબ તપ્ત કરી વિવાદમાં જે હારે તે એ તૃપ્ત તેલમાં પડે એમ પ્રતિજ્ઞા કરી વિવાદ કરતા હતા. એક દિવસ શંકર મહાચીન (ટીબેટ ) પ્રદેશમાં જઈ ત્યાંના, તાંત્રિક સંપ્રદાય વિરૂધ્ધ શાચર્ચામાં ઉતર્યા. ત્યારે તેમના પ્રિયશિષ્ય આનંદગિરિ વગેરેએ કહ્યું " પ્રભુ વિવાદ કરવાનું પ્રયોજન નથી, આથી હવે દૂર દેશમાં આપણે જવું નહિ, જગતની હદ નથી, કોઈ કોઈ ઠેકાણે પ્રતિભાશાળી પંડિત મળી જાયજેથી વાદમાં પરાજયપણ થાય. આનંદગિારની. પ્રાર્થના ઉપરથી શંકરે એ કઢાહ જમણુના સીમારૂપ કરી ટીબેટમાં રાખ્યું.. ટીબેટમાં હાલમાં પણ એ સ્થાનનું નામ શંકર કઢાહ છે. 2 गीता सहस्त्रना मैव स्तोत्रगजमनु स्मृमिः गजेंद्र मोक्षणं चैव पंचरत्ना तिमारते. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy