SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 102 ભગવચ્છંકરાચાર્ય ચરિત. કહ્યું “પ્રભુ! આપ સર્વ વ્યાપી છો બોલે. ત મત સત્ય કે અદૈત મત સત્ય? એટલામાં તક્ષણ દેવ વાણી થઈ જે " અત મત સત્ય. અદંત આ મત સત્ય” એ આકાશવાણી સાંભળી સઘળા વિસ્મિત થયા. અને કાંઈ પણું બોલ્યા શિવાય શંકાના શિષ્ય થયા. ત્યાર પછી, મહાલક્ષ્મીના ઉપા સક સાથે, સરસ્વતીના ઉપાસક સાથે અને વાલાચારી લોક સાથે શંકરને શારત્રવાદ ચાલ્યો. તેઓએ અનેક યુક્તિની અવતારણ કરી પણ શંકરના ૫.ડિત્ય પાસે તેઓ હારી ગયા, તેમાંથી સઘળાએ પરાજય સ્વીકાર્યો. પછી શંકરે સુરાસક્ત વામાચારી સંપ્રદાયના લોક તરફ જોઈ કહ્યું શાસ્ત્રમાં લખેલ છે કે વિશ્વલિત બાણુઠારા હણેલ હરણનું માંસ કલંજ” જેઓ કલંજ ભક્ષણ કરે અને મદ્યપાન કરે તેનું બ્રાહ્મણપણું રહેતું નથી. એથી તમે બ્રાહ્મણ જાતિથી ભ્રષ્ટ છે. હવે મૂર્ખતા છેડી દઈ પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરે, વિલંબ કરો નહિં. તેઓ સઘળા શંકરની વાત સાંભળી શંકરને પ્રણિપાત કરી શંકરના શિષ્ય બની ગયા. ત્યાર પછી શંકર દેવ, તુલા ભવાનીના મંદિરના સઘળા શાકત લોકોને શાત્રવાદમાં હરાવી પાછા સેતુબંધરામેશ્વરમાં આવી પહોંચ્યા. શંકર, સેતુબંધરામેશ્વરમાં બે માસ રહ્યા. તેણે સમુદ્રમાં અવગાહન કરી તરત જ રામેશ્વર શિવનાં દર્શન કર્યા. એમ કહેવાય છે કે ખુદ અયોધ્યા પતિ શ્રી રામચંદ્ર એક શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે. એ સ્થાને 1 પાંડેય * ચેલ અને 5 દ્રવિડ દેશીય દૈતવાદીઓ બહુ રહેતા હતા. એ દૈતવાદી પંડિત સાથે શંકરને શાસ્ત્રવિવાદ થયો, પહેલાં તો એક શ્રેણીના શૈવ તેમની પાસે આવ્યા તેઓના વામ બહુ ઉપર શિવલિંગ પ્રતિષ્ઠિત સર્વાગ . 1 यस्यकायगनंब्रह्म मनाप्लाव्य तेमकृत् तस्यव्य पैति ब्राह्मण्यं શષ્યર સાથે પશુ ?? અથાગ ) 3 સેતુબંધ રામેશ્વર રવ નામ પ્રસિદ્ધ મહા તીર્થ છે તે મદ્રાસ પ્રેસીડેન્સી અંદરનું સમુદ્ર તીરે છે એમ કહેવાય છે કે રામચંકે, રાવણને મારવા લાકમાં જવા સારૂ ત્યાંથી તે લ કા સુધી સમુદ્ર ઉપર સેતુ બાંધેલ છે. . 3 પાંડ્ય નામ દેશ કુમારિકા અંતરીયની પાસે છે. તામ્રપણી નદી એ દેશના મધ્યભાગમાં ઘઈ વહે છે. 4 ચેલ દેશ, દ્રાવિડ અને તૈલગ દેશની મધ્યે આવેલ છે તેની અંદર થઇ કાવેરી નદી વહે છે તાંજોર તેની રાજધાનીનું શહેર હતું. ' 5 કાવડ મદ્રાસ પ્રેસીડેન્સીના અંદર તે નામને એક પ્રસિદ્ધ દેશ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy