SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 8 ભગવછંકરાચાર્ય ચરિત. પુસ્તક મને એકવાર જેવા આપો? પદ્મપાદે ટીકા થ મામાના હાથમાં આપો. મામાએ અત્યંત ધ્યાન લગડી ટીકા ગ્રંથ આદિથી તે અંત સુધી જે. તે ગ્રંથનો પાઠ કરવાથી તેના હૃદયમાં એકી સાથે હર્ષ અને વિશાદ ઉત્પન્ન થયાં. તે પિતાના ભાણેજનું પ્રબંધનિર્માણમાં નૈપુણ્ય અને બુદ્ધિ કેશલ જોઇ પરિતુષ્ટ થયો. પણ એ પ્રબંધમાં જે યુકિતઓ દાખલ કરી છે તે યુકિતઓથી પિતાને મત હત થાય છે એમ જાણી તે અત્યંત દુ:ખિત થયો શા થી કે તે ભદ્ર પ્રસાકરનો શિષ્ય હતોભટ્ટ પ્રભાકરનું જે મત તે તેનું મત હતું. પદ્મપાદે એ ગ્રંથમાં સુયુકિતદ્વારા ગુરૂ ભટ્ટપ્રભાકરનો મત ખંડન કર્યો હતો. પિતાના મતનું એ ગ્રંથમાં ખંડન જોઈને અત્યંત ખેદ પામ્યો અને બેલ્યો. “ભાઈ પ્રબંધ અતિ ઉત્તમ થયો છે હું તારું બુદ્ધિ નિપુણ્ય જોઈ અત્યંત પરિતુટ થયો છું. ' ' ત્યારપછી પાપાદે પોતાના મામાને કહ્યું " આર્ય ! હાલ હું એ પુસ્તક, તમને સે.પી સેતુબંધરામેશ્વરની યાત્રાએ જાઉં છું. તમે ગોગૃહની જેમ અત્યંત સાવધાનતાથી એ પુસ્તકની રક્ષા કરજો, જે જે. એ કોઈ રીતે નાશ ન પામે પદ્મપાદની દરખાસ્તમાં માતુલ સંમત થયો. ' ત્યારપછી પદ્મપાદ શિખ્યો સાથે સેતુબંધરામેશ્વરની યાત્રામાં અગ્રેસર થયાં. જવાના સમયે ભાવિ દુઃખના કારણું સ્વરૂપ જુદી જુદી જાતનાં અદભૂત લક્ષણ પ્રકાશમાં આવ્યાં. તેની દાબી આંખ ફરકવા લાગી, અને દાબો હાથ તથા દાબી સાથળ થડકવા લાગી. એક આસામીએ ભારી છીંક ખાધી. જ્ઞાની પદ્મપાદે એ સઘળાં અપશુકન ગણ્યાં નહિ, અને નિઃસંદેહ રીતે ત્યાંથી ચાલ્યો. પદ્મપાદન જવા પછી તેના મામાએ વિચાર કર્યો. જે આ પુસ્તક રાખ્યું જાય તો મારા ગુરૂપમાં અત્યંત હાનિ થાય, એ પુસ્તકમાં ગુરુદેવની સઘળી યુકિતઓ ખંડિત થઈ છે. જે આ પુસ્તકનો નાશ થાય તે ગુરુના મતનો સાર પ્રચાર થાય. મારામાં એટલી બધી બુદ્ધિ નથી કે હું તેના મતનું ખંડન કરું. હવે એ ગ્રંથને ઘરની સાથે બાળી દેવે યુકત છે, એ વી રીતે મુકરર કરી તેણે ધરમાં અગ્નિ મુકો. જ્યારે પ્રબલ અંગે શિખાથી ઘર બળવા લાગ્યું. ત્યારે પિોક મુકીને કહેવા લાગ્યો, " ભાઈ પાડોશી બા જુઓ ! જુઓ ? મારું ઘર બળી જાય છે. , પદ્મપાદ, શિષ્યો સાથે સેતુબંધરામેશ્વરે પહોંચી પહેલાં જ કુલમુનિના બંને જે વટવૃક્ષના મૂલે રામ શરાસન છોડી બેઠા હતા. તે દર્શન કરી અત્યંત પ્રસન્ન થયા. ત્યારપછી સાગરતીરે જે સ્થળે રામ વાનરો સાથે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy