SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લે પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને? '}}')" મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન.' પ્રયાણઘડીએમાં મૃત્યુની સુન્દરતાનું કવિ સ્નેહરશ્મિ આ પ્રમાણે સૌમ્ય નિરૂપણ કરે : “નહિ રજની આંસુ સાર દિશાઓ રોશો મા, આ પ્રયાણઘડી અભિરામ પાછું જોશો મા.” અનુગાંધીયુગમાં પણ મૃત્યુનું નિરૂપણ કવિઓની કલમે વૈવિધ્યસભર થયું છે તે પણ ડૉ. ભાનુબહેન જાનીએ એમના એ પ્રકરણમાં વિગતે અને સદષ્ટાંત ચચ્યું છે. બાલમુકુન્દ દવેનું “તું જતાં' કાવ્ય પત્ની વિરહનું કરુણગર્ભ કાવ્ય બની આવ્યું છે. પત્નીવિહોણું શેષ જીવન કેવું બની ગયું છે ? કવિ કહે છે : દિન સૌ ભડકા છ આગના, રજની સૌ ઢગલા છ ખાખના વિધિના વસમા છ વાયરા પ્રિય આશા અવસાન જિંદગી.' મૃત્યુસમયે, મૃત્યુ પામેલા કોઈ સ્વજનને ભાવાંજલિરૂપે જ્યારે પુષ્પો ધરવામાં આવે છે ત્યારે હૃદયની સ્થિતિ કેવી હોય છે? સુરેશ દલાલ એક વિરોધાભાસથી હૃદયની અપાર વિકલતાને રજૂ કરે છે : શબ પર ફૂલ મૂકીએ છીએ - એ પહેલાં હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.” શેષ અભિસાર' જેવા કાવ્યમાં આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ સ્ત્રીપાત્રોક્તિ દ્વારા હર્ષભેર મૃત્યુના આગમનને વધાવે છે. મુખ્યત્વે એમનાં કાવ્યોમાં મૃત્યુ વિશેનું મંગલ ચિંતન જોવા મળે છે. લાભશંકર ઠાકરે “માણસની વાત'માં, સિતાંશુએ “જન્મીનું મૃત્યુ'માં મૃત્યુને ચિંતનમનની ભૂમિકાએ પ્રમાયું છે. તો રાવજી પટેલે “મારી આંખે કંકુના સૂરજ'માં કે માધવ રામાનુજે “હળવા તે હાથે'માં ભાવનાત્મક સ્તરે મૃત્યુનું નિરૂપણ કર્યું છે. આમ, આ શોધનિબંધમાં તેનાં લેખિકાએ મૃત્યુસંદર્ભે અર્વાચીન ગુજરાતી કવિતાને સમજ અને શ્રમપૂર્વક તપાસી છે. અનેક નામી-અનામી, સિદ્ધ-અસિદ્ધ-પ્રસિદ્ધ કવિઓની રચનાઓમાંથી તે પસાર થયા છે. તેની આ પછીનાં પ્રકરણપૃષ્ઠોમાં પ્રતીતિ થાય છે. એક સંશોધકને છાજે તેવી અભ્યાસશીલતા અને સ્વસ્થતાથી તેમણે આ વિષયને ન્યાય આપવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. મૃત્યુને સામાન્ય રીતે પ્રત્યેક કવિએ મુખ્ય વિષય નહિ, પણ સ્વજન નિધનના નૈમિત્તિક વિચારભાવરૂપે નિરૂપ્યું છે. તે અહીં જોઈ શકાશે. આ રીતે જીવનના આવા ગંભીર પાસાને નિરૂપવાનો પડકાર ઝીલી લઈ ડૉ. ભાનુમતી જાનીએ જે સુતા દાખવી છે તે આ પુસ્તક વાંચનારને તરત જ સમજાશે. કલાસ્વરૂપમાં મૃત્યુ જેવા વિષયનું આપણા વિવિધ કવિએ વિવિધ તબક્કે અને વિવિધ પ્રસંગે જે આશા-નિરાશાજન્ય, માધુર્ય-માંગલ્યમય, ભવ્ય,રાલરૂપે નિરૂપણ કર્યું છે તેનું અહીં શ્રમસાધ્ય આકલન થયું છે. - ધીરુ પરીખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy