SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં જઈ રે'શો રાત આતમજીવડા, ગાડું ભર્યું ચંદન લાકડે ચડવાને ઘોડી કાટ - ચાર જણાં તુંને ઉપાડી ચાલ્યા ખોખરી હાંડીમાં લીધી આગ.” દયારામે મૃત્યુની મનુષ્યને સૂઝસમજ નથી તેને ઉદાહરણ દ્વારા કાવ્યાત્મક રજૂઆત કરી છે - ‘મૂરખ તું સમજે નહિ - આયુષ્ય ઓછું થાય; જ્યમ સરોવરની માછલી સમજે નહિ સલિલ સુકાય રે.' સુધારકયુગમાં કવિ દલપતરામ મિત્ર ફાર્બસના મૃત્યુનો શોક ફાર્બસવિરહમાં કથનાત્મક-વર્ણનાત્મક-ભાવભાવનાત્મક રીતે રજૂ કરે છે. તેમાંની આ એક ભાવમય ઉક્તિ જુઓ : a “વ્હાલાં તારાં વેણ સ્વપ્નામાં પણ સાંભરે નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ' તો વળી ભવાનીશંકરે કરસનદાસ મૂળજીના અવસાનનિમિત્તે “કૃષ્ણવિરહ' કાવ્ય લખ્યું છે. તેમાં વૃત્તિમય ભાવાભાસનો આશ્રય લઈ નિજ શોકને આમ વર્ણવ્યો છે : પશુપંખીએ ઝૂરવા માંડ્યું છાંડ્યું ચરતા ઘાસ ચકલાએ ચારો ત્યજ્યો મુખ ચરતા, દિલગીરીથી ઉદાસ.” શેઠ વલ્લભદાસ પોપટે મહુવા ગામના જાણીતા શિક્ષક માહેશ્વર ઈચ્છારામના મૃત્યશોકથી વિકલિત પોતાના હૃદયભાવને આવી રીત્યાત્મક અભિવ્યક્તિ આપી છે : વાર “છણ છણ છણ બાળે છાપ છાતી છપાણી ગુરુ ગુરુ ગુરુ બોલું નેત્રમાં પૂર્ણ પાણી.” જ્યારે નર્મદ “નર્મકવિતા'માં “નવ કરશો કોઈ શોકમાં મૃત્યુનું ચિંતન રજૂ કરતાં તેને શોકાકુલ પ્રસંગ તરીકે લેવા કરતાં મંગલ નિયતિ તરીકે લેવાનું કહે છે, અને તે માટે હિમ્મત રાખવા સૂચવે છે. જગતનીમ છે, જનનમરણનો દઢ હજો હિમ્મતથી.” સ્નેહમુદ્રામાં ગોવર્ધનરામ મૃત્યુજનિત શોકનું આખરે શમન થાય છે તેમ સ્વીકારે છેઃ જનન મરણ ને રડવું હસવું થશે લીના અંતે અનંત પ્રવાહમાં મળે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy