________________ ઋણસ્વીકાર અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિષય પરના મારા શોધનિબંધને લગભગ સવાછ વર્ષ લાગ્યાં. આ ભગીરથ કાર્યમાં મને અનેક સ્વજનો, વડીલો, મિત્રોની મદદ અને માર્ગદર્શન મળ્યાં છે. જેનો ઋણસ્વીકાર ન કરું તો નગુણી કહેવાઉં. સૌ પ્રથમ પરમ પૂજ્ય સ્વામીશ્રી મનુવર્યજી (યોગસાધન આશ્રમ પ્રિતમનગર), મારા પૂજ્ય પિતાજી, સ્વ. પ્રભુલાલ જાની, પરમ પૂજય - બા - કાન્તાબહેન જાની, ડૉ. ધીરુભાઈ પરીખ માર્ગદર્શક અધ્યાપક, (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯.), પ્રિ. શ્રી ચતુરભાઈ પટેલ (નિવૃત્ત આચાર્ય એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન), પ્રિ. શ્રી સારાભાઈ સંઘવી (આચાર્ય, એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન), પ્રિ. શ્રી મધુભાઈ બક્ષી (નિવૃત્ત આચાર્ય જી. એલ. એસ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ), સુ શ્રી સુમિત્રાબહેન ટેબલે, સુ શ્રી ભામિનીબહેન મુનસફ, શ્રીમતી ભક્તિબહેન વોરા, પ્રો. નીલાંજનાબહેન (નિવૃત્ત અધ્યાપક, ગુજરાત કૉલેજ), સ્વ. જશવંતભાઈ ઠાકર (નાટ્યાચાર્ય), શ્રી બિપીનભાઈ પરીખ (મહેમદાવાદ), શ્રી ગિરીશભાઈ સાગર કોપીયર્સ, શ્રીમતી વિદુલાબહેન મિસ્ત્રી, ભો. જે. વિદ્યાભવન, શ્રીમતી રેખાબહેન જોશી ગ્રંથપાલ એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. પટેલ કોમર્સ કોલેજ ફોર વિમેન, શ્રીમતી કપિલાબહેન પટેલ ગ્રંથપાલ જી. સી. ગર્લ્સ હાઈસ્કુલ, બ્રિટીશ લાઈબ્રેરી, ગુજરાત યુનિવર્સિટી, સાહિત્ય પરિષદ ગ્રંથાલય, ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, એમ. જે. લાઈબ્રેરી, પાર્થ પ્રકાશનના બાબુભાઈ શાહ, ગુજરાત સાહિત્ય અકાદમી - મંત્રીશ્રી ડંકેશ ઓઝા ઉપરાંત અનેક કવિમિત્રો, ગઝલકારો, અધ્યાપકોનું પણ ઋણ સ્વીકારું છું. - ડૉ. ભાનુમતી જાની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust