SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 479 છે. નવું ખોળિયું, નવું ફ્લેવર, નવી વસંત, નવા શબ્દો, નવો જન્મ, જીવન બાળ કદાચ એવું પ્રભાવક કે મૃત્યુના ઇંડાને ફોડી બહાર નીકળે. મૃત્યુને મહાત કરી જીવન પોતાના સ્વત્વને પ્રભાવક રીતે પ્રગટ કરે છે. આપણા કવિઓએ આ વાત પણ વારંવાર અભિવ્યક્ત કરી છે. ચૈતન્ય સમુદ્રની અનંતતામાં કવિઓને શ્રદ્ધા છે. બધુંજ નષ્ટ થઈ ગયા પછી પણ પેલો “પુનરપિ'નો મંત્ર એનું કાર્ય કરતો જ રહેવાનો. ચારેબાજુ સર્વત્ર સ્થાઈભાવ રૂપે મૃત્યુ સ્થપાયેલું હોવા છતાં, આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને બોલાવ્યા કરે છે. ને પેલી ચેતના ધૂપ થઈ ઊડી જાય છે. પિંજરમાં રહી જાય છે કેવળ કાયા. સાજીંદાનાં વાજિંત્રોની સ્વર-સરવાણી સંભળાય છે. લગ્નની જેમજ મૃત્યુમિલન વાજતે ગાજતે થાય છે. આમ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું વિવિધ કવિઓએ સુંદર નિરૂપણ કર્યું છે. “મૃત્યુ' જેવા ગહન વિષયની અભિવ્યક્તિ છતાં, ખાસ તત્ત્વજ્ઞાનનો ભાર નથી લદાયો. ગુજરાતી કવિતામાં “મૃત્યુ' “સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' બનીને મ્હોર્યું છે, ને એની વચ્ચે વચ્ચે વહ્યો છે કરુણનો ઝરો. આ બધું વાંચ્યા વિચાર્યા પછી એમ લાગે છે કે, મૃત્યુ વિશે વિવિધ કલ્પનાઓએ વિવિધ અભિવ્યક્તિ સાધી છે, ને સરસ સાધી છે, ને તોપણ “મૃત્યુને સમજવાની માનવની મથામણ અવિરત છે. કારણ “મૃત્યુ એ અવિરત વણઉકલ્યો પ્રશ્ન જ રહ્યું છે. તો “મૃત્યુ પછી શું? એ પ્રશ્ન પણ એક મહાપ્રશ્ન બની રહે છે. પાદટીપ અ.નં. વિગત પૃષ્ઠ નંબર સુરેશ જોશીથી સુરેશ જોશી ડૉ. સુમન શાહ 11 2. એજન 119 એજન 122 147 સંચેતના” રાધેશ્યામ શર્મા 45 વમળનાં વન' જગદીશ જોશી (પ્રસ્તાવના મકરંદ દવે) એજન 8. “મોન્ટાકૉલાજ' જગદીશ જોશી એજન 10. ‘લઘરો' લાભશંકર ઠાકર ૧બ. “મન” હરીન્દ્ર દવે 11. “ક્યાં ? રમેશ પારેખ 118 12. “ખડિંગ' રમેશ પારેખ 130 13. એજન 131 14. એજન 131 15. “બરફનાં પંખી અનિલ જોશી 70 16. “આકાશમાં તારાઓ ચૂપ છે ડૉ. જયા મહેતા 70 17. “એક દિવસ ડૉ. જયા મહેતા (પ્રસ્તાવના યશવંત શુક્લ) 9 18. “આકાશમાં તારા ચૂપ છે” ડૉ. જયા મહેતા 19 19. “હૉસ્પિટલ પોએમ્સ' ડૉ. જયા મહેતા 11 પ્રવેશ પન્ના નાયક 168 તલાશ' વિપીન પરીખ 22. એજન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust એજન 74 مها في
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy