________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 10 છે. સાવિત્રી જાણે અનંતતાની મૂર્તિ બની રહે છે. "Eternity looked into the eyes of Death. And Darkness saw Gods living Reality. Then a voice was heard that seemed the stillness self, or the low calm utterance of infinity" 24 (Savitri). મૃત્યુના હૃદયમાં કોઈક નવા જ આશ્ચર્યનો સંચાર થાય છે. એની આંખમાં સાવિત્રી O, Savitri ? Bright ever thou wast a goddess still and pure. Yet dearer to me by thy sweet human parts. Earth gave thee making thee yet more divine" 25 (Savitri). સાવિત્રીના છેલ્લા તબકમાં કવિ બધીજ વસ્તુનો ઇન્કાર કરનાર નિરપેક્ષ તત્ત્વ નિર્વાણ'ની શોધમાં ચર્ચા આરંભે છે. “તુષારબિંદુ સમુદ્રમાં પડે ત્યારે એક મહત્ત્વની ઘટના બને છે કે જ્યાં સમુદ્ર હરપળે બિંદુમાં પ્રવેશે છે.” જીવન અને મૃત્યુનાં રહસ્યો સીમાઓની પેલે પાર રહેલા સામ્રાજ્યમાં આરોહણ કરવા સાવિત્રીને સૂચવે છે. બૃહદારણ્યક'માં યુક્તાહાર, તથા ઊંડા અને સમધારણ શ્વાસથી થતી પ્રાણશુદ્ધિની મદદ વડે ચિત્તના વિલય ભણી પહોંચી ચેતન તત્ત્વને પામતા મૃત્યુંજય પુરૂષનું વર્ણન કરવામાં આવ્યું છે. “યઃ અકામો નિષ્કામ આપ્તકામ, આપ્તકામો, ન તસ્ય પ્રાણા ઉત્કર્માન્ત બૌવ સન્ બ્રહ્માયેતિ તથા જયોતિષામ્ અપિ તદ્ જયોતિઃ તમસઃ પરમ્ ઉચ્યતે તમસથી પર એવી આત્મજ્યોતિ સાથે આત્મચૈતન્ય સાથેનું નિત્ય અનુસંધાન એ જ અચિમાર્ગ. મૃત્યુને દ્વારે એના વડે જ દીપમાળ પ્રગટાવી શકાય. ચૈતન્યનાં સાગરમાં જ્યાં સુધી અલગ અસ્તિત્વના ડગ માંડીએ ત્યાં સુધી ડગલે પગલે મોતને ભેટવાનું છે. મૃત્યુ સાથેના સંગ્રામમાં જીવનની શરૂઆત, સ્વીકાર અને ત્યાગના પાયા પર થાય છે અને પછી સર્વત્યાગ એ જ સંપૂર્ણ સ્વીકાર બની સર્વગ્રાસી મૃત્યુનો કોળિયો કરી જાય છે. આ મહાઆશ્ચર્ય વર્ણવતાં સંતોની વાણી થાકતી નથી. ઘર બાળે ઘર ઉગરે ઘર રાખે ઘર જાય એક અચંબા ઐસા દેખા મડા કાળકુ ખાય” માણસની આંતરિક કંગાલિયત વચ્ચે મૃત્યુનો ભયંકર પડછાયો આવી પડે છે. મનુષ્યનો અંતરાત્મા ત્યારે ચિત્કાર કરી પૂછી ઊઠે છે. નાદું નામૃતસ્યાં કિમિદં તેને " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust