________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 17 કર્મ ચાબુક, શબ્દ એ રથનો ધ્વનિ, ને ત્વચા રથનું ઢાંકણ છે એમ જણાવાયું છે.” 11 (‘ઉપનિષદ નવનીત'). “ધી ડીવાઈન લાઈફમાં શ્રી અરવિંદ જણાવે છે કે “મૃત્યુ મનુષ્ય જીવનના અસ્તિત્વ પર નિયમરૂપે લદાયું છે. જે કાંઈ અરસણીય છે, તેનું નામ મૃત્યુ.” શ્રી અરવિંદ જીવનની પ્રક્રિયાના અંત તરીકે મૃત્યુને અનિવાર્ય ગણે છે. શ્રી અરવિંદના મહાકાવ્ય “સાવિત્રી'માં મૃત્યુના સ્વરૂપનું ભારતીય દષ્ટિબિંદુ કાવ્યમય રીતે અભિવ્યક્ત થયું છે. શરૂમાં જ તેઓએ મૃત્યુને Limitless denial of all being' એટલે કે “સમગ્ર અસ્તિત્વના અસીમ ઇન્કાર' તરીકે ઓળખાવ્યું છે. મૃત્યુના સામ્રાજ્યની વિશાળ સત્તા સામે અવિરત પુરૂષાર્થ કરતા માનવની, મૃત્યુ આમ તો મજાક ઉડાવે છે. પણ સાવિત્રી તો અડગ છે. એ ખુમારીથી goud , 'l bow not thee, o huge mask of Death.' 12 (Savitri). તો બીજી બાજુ મૃત્યુને શ્રી અરવિંદે કાળસામ્રાજ્યના સર્વોપરી શાસક પણ ગણાવ્યું છે. મનુષ્યની ચેતના કાળના બંધનમાં બંધાયેલી છે. તેથી મૃત્યુની મહાન શક્તિનો એ સામનો કરી શકતી નથી. "I am Death and the dark terrible mother of life. I am Kali, black and naked in the world. I am Maya and the universe in my cheat. I lay waste human happiness with my breath. And slay the will to live, the joy to be" 13 (Savitri). જો કે સાવિત્રીએ ક્યારેય મૃત્યુ અથવા પ્રારબ્ધનો વિજય સ્વીકાર્યો નથી. સાવિત્રીના આલિંગનમાંથી સત્યવાન ચાલ્યો જાય છે. સાવિત્રી મૃત્યુને નજરોનજર નિહાળે છે. બંને સામસામે આવી ઊભા રહે છે. શ્રી અરવિંદ કહે છે, “મૃત્યુ' જ “મૃત્યુની રહસ્યમયતાને સમજાવી શકે. “મૃત્યુ' ને જાણ્યા વિના એને પરાજિત ન કરી શકાય. ને પરાજિત કર્યા વિના અમરત્વને પામી ન શકાય. મૃત્યુનું અપાર્થિવ, ભારેખમ, ભવ્ય મુખ સાવિત્રી સામે ઊભું રહે છે. સમગ્ર અસ્તિત્વના એ અસીમ ઇન્કારની-મૃત્યુની આંખ એ સમયે જાણે કે મૃદુતાવાળી હતી. જે દેવોને નષ્ટ કરતી વેળા પણ ઊંડી અનુકંપા ધરાવતી હતી. મૃત્યુ પોતાના સામ્રાજ્યનું વર્ણન કરતાં જણાવે છે “આ મારો અશબ્દ અંધકારમય વિરાટ પ્રદેશ અસીમ રાત્રિનું આ ગૃહ સૂનકારનું આ ગહન રહસ્ય” ન રહ” પણ સાવિત્રી મૃત્યુના હુંકારથી ગભરાતી નથી. એ કહે છે, "I am immortal in my mortality. I tremble not before the immobile gaze of the unchanging marble hierarchies. That look with the stone eyes of Law and Fate. My soul can meet them with its living fire. Out of thy shadow give my back again." 14 (Savitri). મૃત્યુ અંધકારના આવરણમાં વીંટળાઈ મૌન ઊભું રહે છે. મૃત્યુના અતિ તીક્ષ્ણ હથિયારને માત્ર “પ્રેમ” જ બુઠું બનાવી શકે. શ્રી અરવિંદ “પ્રણય અને મૃત્યુ ને મિત્રો તરીકે વર્ણવે છે. મૃત્યુનો કડક ચહેરો પ્રેમ પાસે આવતાં અત્યંત મૂદુ બની જાય છે. સાવિત્રી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust