SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 16 "मृत्युप्रोकतां नचिकेतोऽथ लब्धवा विद्यामेतां योगविधि च कृत्स्त्रम् ब्रह्मप्राप्तो विरजोऽम् द्विमृत्यु रन्योप्येवं यो विध्यात्ममेव" (कठोपनिषद) “મૃત્યુએ કહેલી આ વિદ્યા અને સંપૂર્ણ યોગવિધિને પામીને નચિકેતા બ્રહ્મભાવને પામી વિરજ (ધર્માધર્મશૂન્ય) અને મૃત્યુહીન થઈ ગયો. એટલે કે મુક્ત બની અમર થઈ ગયો.” - મૃત્યુ બે મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. એક સાતત્યનો ને બીજો સાતત્યભંગનો. સાતત્યનો પ્રશ્ન મરેલાની સાથે સંબંધ ધરાવે છે. અને સાતત્યભંગ કે વિયોગનો સંબંધ જીવતા’ સાથે છે. અજુર્નને ભારે વિષાદ થાય છે, કારણ એ મૃત્યુનો પ્રશ્ન સમજ્યો નથી. મૃત્યુની અનિવાર્યતા અને જન્મમરણના તેમજ પુનર્જન્મના પુનરાવર્તન દ્વારા જીવનનું સાતત્ય. આ બે અગત્યના વિષયોથી “ગીતાનું શિક્ષણ શરૂ થાય છે. જયારે શ્રીકૃષ્ણ મનુષ્યનાં શરીર મરણશીલ અને નાશવંત તરીકે વર્ણવે છે, ત્યારે એ મૃત્યુ પછી આવનાર પુનર્જન્મ વિશે પણ કહે છે. મૃત્યુના પ્રશ્નને મરણ પછીની સ્થિતિ અને પુનર્જન્મના સંદર્ભમાં જ જાણી શકાય. મૃત્યુની સાક્ષાત ક્ષણ જ અમરતાનું રહસ્ય દર્શાવી શકે, કારણ મૃત્યુની પળ જ ખરેખર સાતત્યભંગની પળ છે. “ગીતા” આપણને કેવી રીતે મરવું એ શીખવાડે છે. જેથી મરણ પછી આપણે એવા પ્રદેશમાં પ્રવેશી શકીએ કે જ્યાં જન્મ અને મરણ નથી. “છાંદોગ્યઉપનિષદ'ના છઠ્ઠા અધ્યાયના અગિયારમા ખંડમાં બતાવ્યું છે કે “પ્રાણધારી શરીર વૃક્ષ જેવું છે. તેની પ્રત્યેક શાખામાં પ્રાણનું અસ્તિત્વ રહે છે. પણ મુખ્ય રીતે તો તે મૂળમાં જ રહે છે. મૂળ છેદાઈ જતાં વૃક્ષ સુકાઈ જાય છે તેવી જ રીતે મુખ્ય પ્રાણ ન રહેવાથી શરીર ટકતું નથી. તેને જ અણિમા અથવા અણું કહેવામાં આવે છે.” 8 (‘ઉપનિષદ નવનીત'). કા ચોથા અધ્યાયના ચોથા “બ્રાહ્મણ'માં બદ્ધ અને મુક્ત પુરૂષની આત્મગતિનું વર્ણન છે. પહેલી અને બીજી કંડિકામાં કહ્યું છે કે “જયારે આત્મા શરીર છોડવા લાગે છે ત્યારે તેના સર્વ પ્રાણો અથવા ઈન્દ્રિયો તેનો સાથ છોડી દે છે અને તે એકલો રહી જાય છે. મન તથા ઇન્દ્રિયો સર્વ પ્રકારની સંજ્ઞાઓથી શૂન્ય બની જાય છે. જેમ સાપે ઊતારી નાખેલી કાંચળી રાફડા પર પડી રહે છે, તેવી રીતે આત્માથી વિહીન આ શરીર પણ અહીં પડી રહે છે અને અશરીરી અમૃત પ્રાણસ્વરૂપ આત્મા બ્રહ્મતેજમાં લીન થઈ જાય છે.” " . (“ઉપનિષદ નવનીત') શ્વેતાશ્વેતર' ઉપનિષદમાં પ્રાણીની પાસે આવતા કાળને એક બાજુથી અમૃતનું અને બીજી બાજુથી મૃત્યુનું રૂપ કહ્યું છે, કારણ કે આ કાળ જ જીવનને ઘટાડનાર તેમજ વધારનાર બંને રૂપો છે.” (“ઉપનિષદ નવનીત') “છાગ્યેય’ ઉપનિષદમાં આત્માને શરીરના પ્રેરક સાક્ષી તરીકે વર્ણવવામાં આવ્યો છે. શરીરને રથ, ઇન્દ્રિયોને ઘોડા તરીકે ઓળખાવાયા છે. નાડીઓ એ આ રથને બાંધનારી દોરીઓ છે. આ રથને ટટ્ટાર ઊભા રાખનાર લાકડાં છે. લોહી, આ રથને ઊંજવાનું દ્રવ્ય, P.P.AC. Gunratnasuri .S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy