SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 173 પ. ગાંધીયુગમાં મૃત્યુનું નિરૂપણ ભૂમિકા * “છેલ્લાં સો વર્ષનો આપણી કવિતાનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે નર્મદદલપતે અર્વાચીન કવિતાને જન્મ આપ્યો. કાન્ત તેને વિશિષ્ટ કલાસ્વરૂપ બક્યું. ન્હાનાલાલે તેના રૂપગુણ ખીલવીને તેનું મધુર સુહુ, વ્યક્તિત્ત્વ ઘડી આપ્યું. બળવંતરાયે તેનું કાઠું મજબૂત અને સ્નાયુબદ્ધ કર્યું. ગાંધીજીની અસરથી તેની દષ્ટિનો ક્ષિતિજવિસ્તાર થયો. સુંદરમ્-ઉમાશંકરે ત્રણે પુરોગામીઓના સંસ્કારનું સંયુક્ત સિંચન કરીને તેને સમાજાભિમુખ બનાવી, પ્રફ્લાદ-રાજેન્દ્રાદિએ તેને સૌદર્યલક્ષી ઝોક આપ્યો અને તે પછીના સુરેશ જોશી આદિ નવીનતર કવિઓએ તેને અતિવાસ્તવલક્ષી, અસ્તિત્વવાદી છાપ આપી.” ' આનંદશંકર ધ્રુવે પણ કહેલું “આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ઉછાળો આવશે. ....એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશાવવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે.” 2 એ પછી એક દસકે સ્વાતંત્ર્યયુદ્ધની હવા જામી. તે અરસામાં ઉમાશંકર સુંદરમૂનો ઉદય થયો. તેમણે નવા યુગનું અભિજ્ઞાન કરાવતાં અને ક્ષણિક પરિવર્તન દર્શાવનારાં તત્ત્વોને તેમ ઉર્ધ્વગમન પ્રેરનારાં શાશ્વત તત્ત્વોને કવિતામાં પ્રગટ કરી બતાવીને ગાંધીયુગની આઈડેન્ટિટી' સ્થાપી આપી. “સુંદરમ્ ઉમાશંકરના કરતાં વહેલું લખવાનું શરૂ કરેલું. સાક્ષરયુગથી નવા યુગને જુદો પાડી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કાર્ય ઉમાશંકરના વિશ્વશાંતિ' કાવ્ય બનાવ્યું. કાકાસાહેબે કાવ્યની પ્રસ્તાવનામાં લખેલું “યુગયુગની નિબિડ પર્વતમાળાઓને ભેદીને આવતો આ મંગલ શબ્દ “તું પાપ સાથે નવ પાપી મારતો) ગાંધીયુગના સંદેશરૂપે ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ થાય છે.” ? વખત જતાં તે શબ્દ ઉમાશંકર તેમજ ગાંધીયુગની કવિતામાં વિવિધ રીતે વિસ્તરતો રહ્યો છે. આ યુગના કવિઓની દષ્ટિ ગાંધીજીની અસર નીચે વિસ્તૃત બની. ગામડામાંથી આવેલા કવિઓ ગાંધીવિચારસરણીથી આકર્ષાયા. નાનામોટા તમામ વિષયો વિષે કવિતા કરવાની તેમને ગાંધીજી તરફથી પ્રેરણા મળી. અસુંદરમાં સુંદરતા જોઈ તેનું અંતર્ગત રહસ્ય પ્રગટ કરવું, ગંભીર ચિંતન તથા મનુષ્ય-ચિત્તનો અભ્યાસ આ યુગના કવિઓની કવિતાનાં મુખ્ય લક્ષણો બન્યાં. ગાંધીજીના વ્યક્તિત્વ જમાનાનાં બળો અને સાહિત્યની પાર જઈને સમગ્ર દેશના જીવન અને સાહિત્યમાં નવો યુગ પ્રગટાવ્યો. સાહિત્યિક પ્રતિષ્ઠાનો કોઈ વ્યામોહ નહિ રાખનારા ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરી દેશભરના સાહિત્ય અને જીવન પર “યુગપ્રવર્તક તરીકેની અસર પાડી. ૧૯૧૪ના જુલાઈમાં ગાંધીજીએ કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું. ગુરુ ગોખલેની શિખામણ મુજબ દેશમાં ફરીને તેમણે લોકજીવનનો અભ્યાસ કર્યો. ૧૯૧૮માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખેલાયો. ૧૯૨૦માં ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણના ઉદ્દેશથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૦માં તેમણે કોંગ્રેસની નેતાગીરી લીધી. અસહકારનું આંદોલન શરૂ કર્યું. “૧૯૪૭ના ઑગસ્ટની પંદરમીએ સ્વરાજ્ય-સિદ્ધિ થઈ. દેશના જીવનનો એ સુખદમાં સુખદ બનાવ ભાગલાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy