________________ 10 દોહન કરીને અહીં મૂક્યું છે. ગઝલમાં મૃત્યુનું નિરૂપણનો થોડોક જ ભાગ અહીં સામેલ કર્યો છે. “ગઝલમાં મૃત્યુ નિરૂપણ' વિશે અલગ પુસ્તિકા પ્રગટ કરવા વિચાર્યું છે. કવિતાના ઘૂઘવતા સાગરમાંથી માત્ર અંજલિભર જ હું પામી શકી છું. આ વિષયને સમજવામાં તથા એને વ્યક્ત કરવામાં મને મારા માર્ગદર્શક અધ્યાપક ડૉ. શ્રી ધીરુભાઈ પરીખે સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા છે. અવતરણોમાં જોડણી જે તે કવિઓની યથાવત્ રાખી છે. મારા મહાનિબંધ “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યનું નિરૂપણ'ને પુસ્તક રૂપે પ્રગટ કરતાં અનેરો આનંદ અનુભવું છું. આ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ મને આર્થિક સહાય કરી છે એ માટે અકાદમીના પ્રમુખશ્રી મનુભાઈ પંચોળી તથા મંત્રીશ્રી ડેકેશભાઈ ઓઝા, તથા પસંદગી સમિતિની હું ખૂબ આભારી છું. ડૉ. ભાનુમતી જાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust