SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( 6 ) તપસ્વિનોનો આ ઉપદેશ રહિણીએ તલીનતા પૂર્વક સાંભળે. આટલી હાની વયમાં, આવા અનુપમ કોમળ દેહને તપશ્ચર્યા વડે બાળી નાખવા આ બાળા કેમ તૈયાર થઈ હશે ? એ શંકાથી રોહિણીના વદન ઉપર ભારે શ્યામતાની રેખાઓ અંકિત થઈ યથાસ્થિત વૃતાન્ત જાણવાની ઈચ્છાથી તેણીએ રિહિણને એ પ્રશ્ન પૂછયો પણ ખરા. પરંતુ તપસ્વિનીએ વાતને ટાળી દેવાની ભાવનાથી કહ્યું કે –“હે રાજસુતે ! મારા વૈરાગ્યનું નિમિત્ત મને ન પૂછો તો બહુ સારું. અમે અમારા પૂર્વાશ્રમની હકીકતને લગભગ પૂર્વજન્મ જેવીજ માનીએ છીએ. એ સંબંધી વધારે આગ્રહ ન કરો એમ ઈચ્છું છું.” આટલું છતાં રાજસુતાએ પોતાનો આગ્રહ ન છે, એટલે 'તપસ્વિનીએ પોતાનો આત્મવૃત્તાંત કહેવા માં - ' " સુરીપુર નગરને વિષે મારા પિતા–સૂરસેન રાજ્ય કરતા હતા. હું તેમને ત્યાં પુત્રી તરીકે જન્મી. બાળપણમાં જ મારી માતા સ્વર્ગવાસ પામી. જે વખતે માતાની ખરેખરી જરૂર હોય તેજ વખતે મારી માતા ચાલી નીકળી તેથી અમારા આખા રાજકુટુંબ ઉપર એક મોટી આફત ઉતરી હોય એમ અમને લાગ્યું - बालस्स मायमरणं, भजामरणं च जूवणारंभे, .. बुढस्स पुत्तमरणं तिन्निवि दुख्खाइ गुरुआई: બાળપણમાં માતા મરી જાય, યુવાનીના આરંભમાં ભાય મરી જાય, વૃદ્ધ વયમાં પુત્ર મરી જાય તેના જેવી દુખદ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy