________________ ( 82 ) લાજ મળે છે, અને પરગજુ માણસે તથા પારકાં દુઃખે દુ:ખી એવા માણસે દુર્લભ જ સમજવા. અરે, પણ આટલી નજીવી વાતમાં તમે બધા કેમ ગાંજી જાઓ છો ? રાજાને મારી પાસે લઈ આવો બકરામાંથી રાજાને તેના મૂળ સ્વરૂપમાં લાવવો એમાં હેટી વિસાત જ શું છે ?" થોડી ક્ષણ પર્યત મ.ન રહી અબડે ઉમેર્યું. પણ હું બકરામાંથી રાજાને પ્રથમની જેમ હતો તેવો બનાવું તેથી મને પોતાને શું લાભ?” તે જ અમે તમને તેના બદલામાં અધું રાજ્ય તેમજ રાજકન્યા વીરમતી આપવા તૈયાર છીએ. એથી અધિક તમારે શું જોઈએ ?પ્રધાને ખુલાસો કર્યો. આ પછી અબડે પોતાના વિદ્યાપ્રભાવથી રાજાને હતો તે મનુષ્ય બનાવ્યા. નગરજનો જેવા ઉદ્વિગ્ન થયા હતા તેવાજ પાછા હર્ષોન્મત્ત થઈ ગયા. અંબડે પણ પિતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કરી સૈના આનંદમાં ઉમેરો કર્યો. સંતુષ્ટ થયેલા રાજાએ તત્કાળ પિતાનું અર્ધરાજ્ય અને વીરમતિ કન્યા અંબડને અપીં દીધાં. પછી તે રૂપિણી વિગેરે પેલી પાંચ કન્યાઓએ પણ અંખડ સાથે લગ્ન કરી જયજયકાર વર્તાવ્યા. આ પ્રમાણે પુષ્કળ સંપત્તિ અને કન્યારો મળવા છતાં અમ રાવતીના વિરહને લીધે અંબડનો અંતરામાં અંદર ને અંદર સળગી રહ્યાં હતાં. તે જ પ્રમાણે અમરાવતી પણ સુગંધવનમાં રહી નિરંતર સુર્યા કરતી હતી. અંબડના અદશ્ય થવા પછી તેને આહાર–પાણી અને ઉંઘ અકારાં થઈ પડ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust