SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( 7 ) પોતાને સહોદરના નામથી સંધન કર્યું ત્યારથી જ ધનદનો કામરાગ ઉતરી ગયો હતો. તેણે અમરાવતીને પોતાની સગી બહેન માની, ખાસ તેના સારૂ એક સજલ સરોવર ઉપજાવી એ સરોવરની અંદર મહામૂલ્યવંતા રત્નોથી પરિપૂર્ણ એક મહેલ રચાવ્યા, અમરાવતી એ સરેવરને વિષે આનંદ પૂર્વક રહેવા લાગી. રાજાએ ધનદને પૂછયું કે –“એ તે બધું ઠીક પણ મારી આ અતિશય પ્રિય પુત્રી કેને વરશે તે કંઈ કહી શકશે?” ધનદે અવધિજ્ઞાનનો ઉપગ મુકી જણાવ્યું કે –“હે તપસ્વી! આ અમરાવતીને મહા કળાવાન અંબડ નામનો વર પ્રાપ્ત થશે.” “પણ તે કયારે અને ક્યાં મળશે એ જાણવું જોઈએ ને ?" તપસ્વી રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યું. આ પ્રશ્નના ઉત૨માં ધનદે કહ્યું કે;–“આજથી બરાબર સાતમે દિવસે આજ વનમાં બકુલવૃક્ષની નીચે બેઠેલા અંબડને અમરાવતી પોતાની - સગી આંખે નીહાળશે.” આટલું કહીને તે બટુક–ભગવાન અંબડને પિતાની સાથે આવવાનો આગ્રહ કરવા લાગ્યા, અંબડ તેની સાથે અમરાવતીના મહેલમાં ગયે. અમરાવતી અંબડને દૂરથી આવતો જોઈને પોતાના આસન ઉપરથી ઉભી થઈ અને પ્રાથમિક વિનય-વિવેક બતાવી તેને બેસવાને સારૂ સિંહાસન આપ્યું. ત્યાર પછી એ બંને નેહીઓએ ઘણો વખત વાર્તાલાપ અને પરસ્પરના કુશળવર્તમાન પૂછવામાં વ્યતિત કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy