________________ સત્યધર્મનું ભાન કરાવ્યું. તેમનું ચરિત્ર વાંચવાથી ગર તેના હૃદયમાં નિર્મળ જ્યોતિ પ્રગટશે અને તે જીવનë સાફલ્ય કરવા પ્રેરાશે એ નિઃશંસય છે. 1 .* * ' આ જીવનચરિત્ર આચાર્ય મહારાજશ્રીના લઘુબંધુ મહામહોપાધ્યાયજી મહારાજશ્રી દેવવિજયજીએ બનાવેલ છેતેના ઉપરથી તેને સંસ્કારી અને સરલ ભાષામાં શ્રી યશેવિજયજી જૈન ગુરૂકુલના ગૃહપતિ મહેતા તલકચંદ માવજીએ સુધારી આપેલ છે તે માટે તેમને આ સ્થળે આભાર માનવામાં આવે છે. સાથે સાથે રાસદ્વારા જીવનચરિત્રને બોટાદનિવાસી ભાઈશ્રી સુખલાલ રવજીભાઈએ વાંચકવર્ગને વિશેષ રસ પડે તેવા હેતુથી, લખી પોતાનો ભકિતભાવ સારા રૂપમાં દર્શાવ્યું છે. તેથી તેમનો પણ આ સ્થળે આભાર માનવામાં આવે છે. વળી આચાર્યશ્રીના બનાવેલા સર્વ ગ્રંથોના દેહનરૂપે, તેમાંથી નીતિના અમૃતમય વાકાને 'તારવાનું અને તેને સંકલિત કરીને આ સાથે મુકવાનું કાર્ય - આચાર્યશ્રીના સંસારીપણાના નાનાભાઈ શ્રીયુત વ્રજલાલ ભાઈએ કર્યું છે જે ઘણું પ્રશંસનીય છે. તેનું વાંચન વિ:વિધ રસથી ભરપૂર હોઈ ઘણું ઉપયેગી થશે. આ ઉપરાંત આચાર્યશ્રીના ગુણાનુવાદ દર્શાવતી સંસ્કૃત અષ્ટક સ્તુતિ પણ ભાષાંતર સાથે જોડવામાં આવેલ છે તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust