________________ પ્રસ્તાવના ભવાટવીમાં ભ્રમણ કરતાં મહાપુણ્યાનુયોગે દશદષ્ટાંતે દુર્લભ આ મનુષ્યભવ પ્રાપ્ત થયે. હજારે બલકે લાખો મનુષ્ય જન્મે છે, અને આયુષ્ય જેમતેમ પૂર્ણ કરી બીજી ગતિમાં ચાલ્યા જાય છે. કેઈ વિરલ પુરૂષેજ માત્ર, ચિંતામણુક૯૫ માનવજન્મનું કેમ સાર્થક કરવું તે જાણે છે, અને સ્વઆત્માની ઉન્નતિ કરવા સંસારથી અલિપ્ત રહી પ્રયત્નશીલ બને છે, એટલું જ નહિ પરંતુ સાથે સાથે જે જે મનુષ્યો તેમના પરિચયમાં આવે છે તેમને પણ પોતાની માફક સત્પથના અનુગામી બનાવી તેમનું જીવન સફળ બનાવવામાં સહાયભૂત થાય છે. આવા પુરૂષોની કેટીમાં અધ્યાત્મ ગનિઝ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસુરીશ્વરજી મહારાજશ્રી સહેજે પોતાનું અદ્ભુત શાંત વ્યકિતત્વ દર્શાવતા તરી આવે છે. તેથીજ બીજા અનેક જીવોને લાભદાયક તેમનું ચરિત્ર આ પુસ્તકમાં આલેખવામાં આવ્યું છે. તેમના જીવ-' , નમાંથી ઘણું શીખવાચોગ્ય મળી આવે છે. કારણકે તેઓશ્રીનું ધ્યેય અને દષ્ટિબિંદુ ઉચ્ચ હતાં. તેમની શાંતિ અજબ હતી. તેમની વાણી અમૃતતુલ્ય હતી. જ્યાં જ્યાં તેઓશ્રી ગયા ત્યાં ત્યાં પિતાની સુમધર વાણીથી શાંતિ સ્થાપી અને P.P. Ac. Gunratnasuri M.S. . .... Jun Gun Aaradhak Trust