SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણિની પરાકાષ્ઠામાં બારમા ગુણઠાણે સંપૂર્ણ અભેદતા એટલે કે પરિપૂર્ણ અવિકારીતા છે. હજુ બારમા ગુણસ્થાનકે પણ છદ્મસ્થતા છે તેથી ઉપયોગ જ્ઞેયને-વિષયને પકડીને શેયાકાર-વિષયાકાર રૂપે પરિણમે છે. વિકાર વિકલ્પ નથી પણ વેદન વિકલ્પ અને આવરણ વિકલ્પ છે. મોહજન્ય વિકલ્પો નથી પણ અજ્ઞાન જન્ય વિકલ્પો છે જે કેવળજ્ઞાની જ પકડી શકે છે. તેરમાં સયોગી કેવળજ્ઞાન ગુણઠાણે ઉપયોગે જ્ઞેયને પકડીને શેયાકાર થવું નથી પડતું. સહજ ઉપયોગવંતતા હોય છે. જ્ઞેય સ્વયં કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝળહળે છે. તેથી જ તેરમે પરિપૂર્ણ નિર્વિકલ્પતા છે. વિકાર વિકલ્પ અને વેદન વિકલ્પ નથી. આવરણ વિકલ્પ પણ અઘાતિકર્મ પૂરતો સીમિત છે. જે માત્ર આત્મપ્રદેશોને કંપનશીલ રાખે છે. ૪૯ આત્મવિકાસ અને આત્મધર્મ
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy