SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ છે . ઉપાદાન શુદ્ધ થતું જાય ! • અજ્ઞાન ખેંચાઈ જાય તો સંસાર કડડભૂસ થઈ જાય. અજ્ઞાને કરીને બંધાયા છીએ તેથી જ્ઞાને કરીને જ છૂટાશે. જ્ઞાનીઓને મન પુણ્ય એ ધર્મ નથી પરંતુ સંવરપૂર્વકની નિર્જરા એ ધર્મ છે. • વિજ્ઞાનથી મોક્ષ છે. વિજ્ઞાન એટલે જ્ઞાનનો જ્ઞાનમાં લય અર્થાત્ જ્ઞાનનું જ્ઞાનમાં જ રહેવાપણું. અ) ચારિત્રમોહના ઉદયથી નિપજતા દોષો ક્રોધ-માન- માયા-લોભાદિ કષાયો છે. બ) દર્શન મોહનીયના ઉદયથી નિપજતા દોષો અવિનય, આશાતના, વેર, ઈર્ષા, આગ્રહાદિ છે. • જ્ઞાન-ચારિત્રમાં યથામતિ યથાશક્તિ ચાલી જાય પણ દર્શનમાં તો પરિપૂર્ણતા જ જોઈએ. જ્ઞાનને જ્ઞાનમાં રાખે તે વિજ્ઞાન અને જ્ઞાનને આવરે તે અજ્ઞાન ! અ) જ્ઞાન જ્ઞાતામાં સમાય તે સમ્યગ્નાન ! નિજાનંદનો નિષ્કર્ષ ૨૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy