SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ . દુઃખ જ હોય. સુખ લાગે છે તે મૂઢતા છે. • હકીકતમાં જીવ પરપદાર્થને ભોગવતો નથી પણ પરપદાર્થ ઉપર કરેલા રાગાદિવિકલ્પને જ ભોગવે છે. સાચું સુખ તો સ્વરૂપનું સુખ છે, જે સ્વાધીન હોય, વર્ધમાન હોય, ભોગવટામાં દુઃખરૂપ ન હોય અને અંતે પૂર્ણતામાં લય પામનારું હોય. • સંસારમાં સંસારીને અનુભવાતું સુખ, -એ તો દુ:ખ ટાળવા રૂપ કે દુઃખ કાપવા રૂપ વિષમતામાંથી સમસ્થિતિમાં આવવારૂપ સુખ છે. એ ડોળીવાળો ખભો બદલે એવું ક્ષણિક આભાસિક સુખ છે. • રાગમાં ક્ષણિક એભદતાનું સુખ છે. પ્રેમમાં-વીતરાગતામાં ત્રિકાલી અભેદતાનું, સમગ્રતા-વ્યાપકતાનું સુખ છે. • જેના સ્વરૂપમાં વર્ધમાનતા હોય, જેના ભોગવટામાં નિશ્ચિંતતા, નિર્લેપતા હોય અને જે પૂર્ણતામાં લય પામતું હોય એ સાચું સમ્યગ્ સુખ છે કે જે વિરતિધરોને હોય છે. • જીવ જાતનો અવિનાશી હોવાથી અજ્ઞાનતામાં પણ વિનાશીમાંથી ય અવિનાશીની જાતનું સુખ શોધે છે. જીવ બધે નિત્યતા-સ્થિરતા અને પૂર્ણતાને જ ચાહે છે. ચાહ સાચી છે પણ ચાલ ખોટી છે. ૧૬૧ સુખ દુઃખ
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy