SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ • મોહનીયના ઉદયથી મતિજ્ઞાનના ઉપયોગમાં આકુળતા- વ્યાકુળતા પેદા થાય છે. અશાતાવેદનીયના ઉદયથી શરીરમાં વિષમતા પેદા થાય છે. શરીરની વ્યાકુળતા અશાતાવેદનીય છે તો મનનો ખળભળાટ–વ્યાકુળતા મોહનીયકર્મ છે. • જ્ઞાન શક્તિ રૂપે ઓળખાય છે પણ જ્ઞાન રસરૂપ છે અને એમાંથી જ્ઞાનાનંદરસ નિષ્પન્ન થાય છે, તેની જાણ નથી. સ્વરૂપ તરફ ઢળેલું જ્ઞાન જ રસરૂપ બને છે. • સમ્યક્ત્વ એ દૃષ્ટિનો વિષય છે. આચરણનો વિષય નથી. • શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે. • સમ્યગ્દર્શનની પૂર્વમાં અને પશ્ચાતમાં સમતા હોય છે. સમ્યગ્દર્શનની પૂર્વેની સમતા સમ્યગ્દર્શન લાવનારી હોય છે અને સમ્યગ્દર્શન પશ્ચાતની સમતા સમરૂપતા- વીતરાગતા-કેવળદર્શન લાવનારી હોય છે. તેથી જ “ધા સમત્વ યોગ ઉચ્યતે।।” કહેલ છે. ૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy