________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા થઇ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે. સૂત્ર-૪૬ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! તેના દશમા અધ્યયનનો શો અર્થ કહેલ છે? હે જંબૂ ! નિશ્વે, તે કાળે, તે સમયે સાકેત નામે નગર હતું, ઉત્તરકુરુ ઉદ્યાન, પાસમૃગ નામના યક્ષ, મિત્રનંદી રાજા, શ્રીકાંતા રાણી, વરદત્તકુમાર, વરસેના આદિ પ૦૦ રાણી, તીર્થંકર આગમન, શ્રાવક ધર્મ સ્વીકાર, પૂર્વભવ પૃચ્છા-મનુષ્ય આયુ બાંધવું, શતદ્વાર નગર, વિમલવાહન રાજા, ધર્મરૂચિ અણગારને આવતા જોયા, જોઈને પ્રતિલાભતા મનુષ્યાયું બાંધી અહીં ઉત્પન્ન થયો. બાકી બધું સુબાહુકુમારવત્ જાણવુ. ચિંતા યાવતુ પ્રવજ્યા, કલ્પાંતરિત યાવત્ સર્વાર્થસિદ્ધ. પછી મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ માફક યાવત્ સિદ્ધ-બુદ્ધ થઈ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સંપ્રાપ્ત સુખવિપાકના દશમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. અધ્યયન 2 થી 10 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ 11- વિપાક અંગસૂત્ર ગુજરાતી અનુવાદ પૂર્ણ 11 અંગસૂત્રોનો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 43