SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૬ સૂત્ર-૬૬૦ એક ગાથા દ્વારા આ શતકનાં 14 ઉદ્દેશાનો નામોલ્લેખ કરે છે- અધિકરણી, જરા, કર્મ, યાવતીય, ગંગદત્ત, સ્વપ્ન, ઉપયોગ, લોક, બલિ, અવધિ, દ્વીપ, ઉદધિ, દીક્ષા, સ્વનિત. શતક-૧૬, ઉદ્દેશો-૧ અધિકરણી સૂત્ર-૬૬૧, 662 661. તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું - ભગવન્! શું અધિકરણમાં વાયુકાય ઉત્પન્ન થાય છે ? હા, થાય છે. ભગવદ્ ! શું તે સ્પર્શીને મરે છે કે સ્પર્ધ્યા વિના મરે છે? ગૌતમ ! સ્પર્શીને મરે છે, સ્પર્ધ્યા વિના નહીં. ભગવદ્ ! તે સશરીરી નીકળે છે કે અશરીરી નીકળે છે ? એ પ્રમાણે જેમ શતક- 2 નાં સ્કંદક ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ શરીરરહિત થઈને જતો નથી. 662. ભગવન્! અંગારકારિકા(સગડી)માં અગ્નિકાય કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિદિવસ. ત્યાં બીજા વાયુકાયિક જીવ પણ ઉત્પન્ન થાય છે. કેમ કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતા નથી. સૂત્ર-૬૬૩ ભગવન્! લોટું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોઢાને સાણસી વડે ઊંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઊંચુંનીચું કરે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી વાવ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. જે જીવોનું શરીર લોઢું બનેલ છે, લોઢાની ભઠ્ઠી-સાણસી બની છે, અંગારા બનેલ છે, અંગાર કટ્ટિણી, ધમણ બની છે, તે બધા જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ પૃષ્ટ થાય છે. ભગવન્! લોહભઠ્ઠીમાંથી, લોઢાને, લોહસાણસી વડે પકડીને એરણ પર રાખતા અને ઉપાડતા પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી લોહ ભટ્ટીમાંથી લોઢાને સાણસી વડે પકડીને યાવત્ રાખે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવતુ પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાથી સ્પષ્ટ થાય છે. જે જીવોના શરીરથી લોઢું-સાણસી-ઘણહથોડો-ઐરણ-ઐરણનું લાકડું બનેલ છે, ઉદક દ્રોણી બની છે, અધિકરણ શાળા બની છે, તે બધા જીવો કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. સૂત્ર-૬૬૪, 665 664. ભગવન્! જીવ, અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! જીવ, અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. ભગવન્! આમ કેમ કહો છો ? ગૌતમ ! અવિરતિને આશ્રીને તે બંને કહેલ છે. ભગવન્! નૈરયિક, શું અધિકરણી કે અધિકરણ છે? ગૌતમ ! અધિકરણી પણ છે, અધિકરણ પણ છે. એ પ્રમાણે જેમ જીવમાં કહ્યું તેમ નૈરયિકમાં પણ કહેવું, એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. ભગવન્! જીવ, શું સાધિકરણી છે કે નિરાધિકરણી ? ગૌતમ ! સાધિકરણી છે, નિરાધિકરણી નથી. આમ કેમ. કહ્યું પ્રશ્ન. ગૌતમ ! અવિરતિને આશ્રીને કહ્યું યાવત્ નિરાધિકરણી નથી. યાવત્ વૈમાનિક આમ કહેવું. ભગવનશું જીવ, આત્માધિકરણી છે, પરાધિકરણી છે, તદુભયાધિકરણી છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવન્! એમ કેમ કહો છો કે યાવત્ તદુભયાધિકરણી પણ છે. ગૌતમ ! અવિરતિને આશ્રીને તે પ્રમાણે કહ્યું યાવત્ તદુભયાધિકરણી પણ છે, આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવદ્ ! શું જીવોના અધિકરણ આત્મપ્રયોગથી થાય છે, પરપ્રયોગથી થાય છે કે તદુભયપ્રયોગથી થાય છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 76
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy