SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ગોશાલકે આ પ્રકારે સંપ્રેક્ષણ કર્યું. કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ-નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું - હું જિન નથી, તો પણ જિનપ્રલાપી યાવત્ ઓળખાવતો વિચર્યો છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક છું યાવતુ હું છદ્મસ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિના શબ્દથી પ્રગટ કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શુંબનું દોરડું બાંધજો, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થૂકજો. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં અહીં-તહીં ઘસેડતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહેજો - હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનપ્રલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવત્ છદ્મસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ વિચરે છે. મહા અઋદ્ધિપૂર્વક, અસત્કાર કરતા મારા શરીરનું નીહરણ કરજો, આમ બોલીને કાળધર્મ પામ્યો. 654. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાળાને કાલગત જાણીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના બારણા બંધ કર્યા. કરીને તે દુકાનમાં બહુમધ્યદેશભાગમાં શ્રાવસ્તીનગરી આલેખી, આલેખીને ગોશાલક મંખલિપુત્રના શરીરને ડાબા પગે શુંબની દોરડી બાંધી, પછી ત્રણ વખત તે મૃતકના મુખમાં ધૂક્યા. ઘૂંકીને ચીતરેલ. શ્રાવસ્તીના. શૃંગાટક યાવત્ માર્ગમાં અહીં-તહીં શરીરને. ઘસેડ્યું. તે વખતે મંદમંદ શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આમ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતા, જિનપ્રલાપી થઈ યાવત્ વિચરતા હતા. આ ગોશાલક સંખલિપુત્ર શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળ પામ્યા. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે, યાવત્ વિચરે છે. આ પ્રમાણે શપથ સોગંદથી મુક્ત થયા. ત્યારપછી બીજી વખત પૂજા સત્કારના સ્પિરિકરણાર્થે ગોશાલક મંખલિપુત્રના ડાબા પગથી ચૂંબની દોરડી. છોડી નાંખી, છોડીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના દ્વાર પણ ખોલી નાંખ્યા, ખોલીને ગોશાળાના શરીરને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ મહાન ઋદ્ધિ સત્કાર સાથે તેના શરીરનું નીહરણ કર્યું. સૂત્ર-૬પપ થી ૬પ૭ ઉપપ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોપ્ટક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ મહામેઘ સમાન હતો. પત્ર-પુષ્પ-ફળ-હરિતકથી લચકતો અને શ્રી વડે અતિ શોભતો હતો. તે મેંઢિકગ્રામ નગરમાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતી. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ મેંઢિકગ્રામ નગરમાં શાલકોપ્ટક ચૈત્યે પધાર્યા યાવતુ પર્ષદા ધર્મ શ્રવણ કરીને, પાછી ફરી. ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક પ્રાદુર્ભત થયો. ઉજ્જવલ યાવત્ દૂરધિસહ્ય પિત્તવર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતા યાવત્ વિચરે છે. તથા લોહી યુક્ત ઝાળા પણ થયા. ચાતુર્વર્ણ લોકો કહેવા લાગ્યા - શ્રમણ ભગવંત મહાવીર, ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તજવર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છદ્મસ્થપણે જ કાળ કરશે. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સિંહ નામક અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઊંચા કરી, આતાપના લેતા, વિચરતા હતા. ત્યારે તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા આ આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - ખરેખર, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 69
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy