________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હે અચંપુલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું - હે અચંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે તને વિચાર આવ્યો કે- ‘હલ્લા' કયા આકારે છે ? ત્યારપછી હે અયંપુલ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો. ઇત્યાદિ બધું જ કહેવું. યાવત્ શ્રાવસ્તી નગરી મધ્યેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીધ્ર આવ્યો, હે અjપુલ ! શું આ અર્થ બરાબર છે ? હા, ભગવાન ! બરાબરછે. હે અયંપુલ! જ્યારે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્રને અહીં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિ કરતા વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પ્રરૂપ્યા છે. ચરમ પાન યાવત્ ગોશાલક બધા દુઃખોનો અંત કરશે. હે અયંપુલ ! જે આ તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર અપાનક પ્રરૂપેલ છે, તે પાનક કયા પ્રકારે છે? યાવત્ ત્યારપછી તેઓ સિદ્ધ થઈ યાવત્ અંત કરશે. તેથી હે અયંપુલ! તમે જાઓ, તમારા ધર્માચાર્યને આવા પ્રશ્નો પૂછો. ત્યારે તે અત્યંપુલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઊડ્યો. ઉઠીને ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલકને તે આમ્રગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમ્રગુટિકાને એકાંતમાં ફેંકી દીધી. ત્યારે તે અચંપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યાપાસવા લાગ્યો. અચંપલાદિને આમંત્રી, ગોશાલક મંખલિપુત્રે અચંપુલને આમ કહ્યું - હે અચંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે યાવત્ તું મારી પાસે શીધ્ર આવેલ છે. હે અચંપુલ ! શું આ અર્થ સમર્થ છે? હા, છે. મારી પાસે તે આમ્રગુટલી નહીં, આમ્ર ફળની છાલ હતી. તારો પ્રશ્ન છે - ‘હલ્લા'નો આકાર શું છે? હલ્લા વાંસના મૂળના આકારે હોય છે. તેથી હે વીરો! વીણા વગાડો. હે વીરો! વીણા વગાડો. ત્યારે તે અત્યંપુલ, ગોશાલક મંખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હૃષ્ટ, તુષ્ટ યાવત્ આનંદિતા હૃદય થયો. પછી ગોશાલકને વંદન, નમસ્કાર કરી, કેટલાય પ્રશ્નો પૂછડ્યા, અર્થ ગ્રહણ કર્યા. પછી ઉત્થાનથી ઉક્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પાછો ફર્યો. ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવજો, કરાવીને કોમળ, રૂંવાટીવાળા ગંધકાષાયિક વસ્ત્રથી મારું શરીર લૂછજો. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લીંપજો, પછી મહાઈ હંસલક્ષણ પટફાટક મને પહેરાવજો. મહાઈ સર્વાલંકારથી વિભૂષિત કરજો. સહસપુરુષવાહિની શિબિકામાં પધરાવજો, પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં મોટા મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા આમ કહેજો - હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી થઈ યાવત્ જિન શબ્દને પ્રકાશતો વિચરીને આ અવસર્પિણીના 24 તીર્થકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ક્ષીણ થયા, ઋદ્ધિ-સત્કાર સાથે મારા શરીરનું નીહરણ કરજો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગોશાલક મંખલિપુત્રના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ૬પ૩. ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ સમુત્પન્ન થયો. નિશે જિન નથી, તો પણ હું જિનપ્રલાપી થઈ યાવત્ જિના શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અયશકારક, અવર્ણકારક, અકીર્તિકારક છું. હું અસત્ ભાવના પૂર્ણ મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને-પરને-તદુભયને વ્યગ્રાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, સાતમી રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, ખરેખર તો. શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનપ્રલાપી યાવત્ જિનશબ્દ પ્રકાશતા વિચરે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 68