SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૪ સૂત્રપ૯૬ એક ગાથા વડે આ ચૌદમાં શતકના 10 ઉદ્દેશાના નામો કહ્યા છે- ચરમ, ઉન્માદ, શરીર, પુદ્ગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અણગાર, કેવલી. શતક-૧૪, ઉદ્દેશો-૧ ‘ચરમ' સૂત્ર–પ૯૭, પ૯૮ પ૭. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું - ભગવન્! ભાવિતાત્મા અણગાર જણે. ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવદ્ ! તેની કઈ ગતિ થાય ?, ક્યાં ઉપપાત થાય ? ગૌતમ ! જે ત્યાં આસપાસમાં તે વેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો છે, તે ત્યાં જઈને પૂર્વ વેશ્યા વિરાધે-છોડે છે તો કર્મલેશ્યાથી જ પડે છે, જો ત્યાં જઈને ના વિરાધે તો તે જ વેશ્યાને સ્વીકારીને વિચરે છે. ભગવન્! ભાવિતાત્મા અણગાર ચરમ અસુરકુમારાવાસ ઓળંગીને પરમ અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય લેશ્યા પરિણામોનું ઉલ્લંઘન કર્યું છે આદિ પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારાવાસ, જ્યોતિષ્કાવાસ, વૈમાનિક આવાસ પર્યન્ત કથન કરવું યાવતું તે વિચરે છે. પ૯૮. ભગવન્! નૈરયિકોની કેવી શીધ્ર ગતિ છે? શીધ્ર ગતિનો વિષય કેવો છે? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ-બલવાન-યુગવાન યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રજ્ઞ હોય, પોતાની સંકુચિત બાહુને જલદી ફેલાવે, ફેલાવીને સંકોચે, ખુલ્લી મુઠ્ઠી બંધ કરે, બંધ મુઠ્ઠી ખુલ્લી કરે, ખુલ્લી આંખ બંધ કરે, બંધ આંખ ખુલ્લી કરે તો એવી શીધ્ર ગતિ હોય? ગૌતમ ! અર્થ સમર્થ નથી. નૈરયિકો એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! નૈરયિકોની તેવી શીધ્રગતિ અને તેવો શીધ્રગતિ વિષય છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે એકેન્દ્રિયોનો ચાર સમયિક વિગ્રહ કહેવો. બાકી પૂર્વવતુ. સૂત્ર-પ૯ ભગવન્! નૈરયિકો અનંતરોપપન્નક છે, પરંપરોપપન્નક છે કે અનંતરપરંપરાનુપપન્નક છે? ગૌતમ ! નૈરયિકો આ ત્રણે છે. ભગવદ્ ! એમ કહો છો કે ત્રણે છે ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય-ઉપપન્નક છે, તે નૈરયિક અનંતરોપપન્નક છે, જે નૈરયિક દ્વિતીય તૃતીય આદિ સમયમાં વર્તી રહ્યા છે, તે પરંપરોપપન્નક છે અને જે નૈરયિક વિગ્રહગતિમાં છે, તે અનંતરા-પરંપરા અનુપપન્નક છે, તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવન્! અનંતરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ બાંધે કે તિર્યંચ-મનુષ્ય-દેવાયુ બાંધે ? ગૌતમ ! એક પણ નહીં ભગવન્! પરંપરોપપન્નક નૈરયિક, નૈરયિકાયુ યાવત્ દેવાયુ, શું બાંધે? ગૌતમ ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, પણ તિર્યંચયોનિકનું કે મનુષ્યાય બાંધે. ભગવન્! અનંતર પરંપર અનુપપન્નક નૈરયિક, શું નૈરયિક આયુ બાંધે? પ્રશ્ન. નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ ન બાંધે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યો પરંપરોપપન્નક હોય તો ચારે આયુ બાંધે છે. ભગવનનૈરયિક શું અનંતર નિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનંતર પરંપર-અનિર્ગત છે? ગૌતમ ! તે ત્રણે છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય નિર્ગત છે, તે અનંતરનિર્ગત છે. જે નૈરયિક અપ્રથમસમય નિર્ગત છે, તે પરંપર નિર્ગત છે, જે નૈરયિક વિગ્રહગતિ સમાપન્નક છે, તે અનંતર-પરંપર-અનિર્ગત છે. તેથી હે ગૌતમ ! પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 44
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy