________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિમાનમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દેવો ઉપજે છે, એ રીતે જેમ રૈવેયક વિમાનમાં સંખ્યાત વિસ્તૃતમાં કહ્યું તેમ, વિશેષ આ - કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, ત્રણ અજ્ઞાનવાળા, આ બધા ના ઉપજે, ન ચ્યવે, ન સત્તાથી કહેવા, અચરમનો પણ નિષેધ કરવો યાવત્ સંખ્યાત ચરમ કહ્યા છે. બાકી પૂર્વવત્. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ ન કહેવા. માત્ર તેમાં અચરમ હોય છે. બાકીનું અસંખ્યાત વિસ્તૃત રૈવેયક મુજબ યાવત્ અચરમો કહ્યા છે, સુધી કહેવું. ભગવદ્ ! ૬૪-લાખ અસુરકુમારાવાસમાં સંખ્યાત વિસ્તૃત અસુરકુમારાવાસોમાં શું સમ્યગદૃષ્ટિ અસુરકુમારો ઉપજે, મિથ્યાદષ્ટિ ઉપજે, એ રીતે રત્નપ્રભા મુજબના ત્રણ આલાવા કહેવા. એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. એ રીતે યાવત્ રૈવેયકમાં, અનુત્તર વિમાનમાં પણ કહેવું. ત્રણે આલાવામાં મિથ્યાષ્ટિ, સમ્યગુ મિથ્યાષ્ટિ ન કહેવા. બાકી પૂર્વવત્ જાણવું. ભગવન કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવતુ શુક્લલેશ્યી થઈને જીવ કૃષ્ણલેશ્યી દેવોમાં ઉપજે? હા, ગૌતમ ! એ રીતે નૈરયિકોમાં પહેલા ઉદ્દેશામાં કહ્યા મુજબ કહેવું. નીલલેશ્યી પણ નૈરયિકવત્ કહેવા, એ રીતે યાવતુ પદ્મલેશ્યી, શુક્લલેશ્યી કહેવા. વિશેષ આ - લેશ્યા સ્થાન વિશુદ્ધ થતા થતા શુક્લલેશ્યામાં પરિણમે છે, પછી શુક્લલેશ્યી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૩ નૈરયિક' સૂત્ર-પ૬૮ ભગવન્! નૈરયિકો અનંતરાહારક હોય, પછી શરીરની નિષ્પત્તિ કરે છે ઇત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! અહી પ્રજ્ઞાપના. સૂત્રનું પરિચારણા પદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૪ પૃથ્વી સૂત્ર-પ૬૯ ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ગૌતમ ! સાત. તે આ - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવન્! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા-મોટા યાવત્ અપ્રતિષ્ઠાન છે. તે નરકાવાસો છઠ્ઠી તમા. પૃથ્વીના નરકાવાસોથી ૧.અતિ મોટા, ૨.અતિ વિસ્તૃત, ૩.ઘણા આકાશવાળા, ૪.ઘણી ખાલી જગ્યાવાળાછે? પણ શું મહા પ્રવેશવાળા નથી, અત્યંત આકીર્ણ નથી, અતિ વ્યાપ્ત નથી, પરસ્પરના સંઘટ્ટનરહિત છે? હા ગૌતમ ! તેમ છે ભગવદ્ ! તે નરાકાવાસમાં રહેલ નૈરયિકો છઠ્ઠી તમામૃથ્વીના નૈરયિકોથી શું મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા, મહાવેદનાવાળા છે, પરંતુ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પ આશ્રવવાળા, અલ્પ વેદનાવાળા નથી? શું તે નૈરયિકો અલ્પ ઋદ્ધિવાળા, અલ્પ દ્યુતિવાળા છે ? મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા નથી ? હા ગૌતમ ! તેમજ છે. ભગવન્! છઠ્ઠી તમામૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે ઈત્યાદિ પ્રશ્ન? હા, ગૌતમ ! છે. તે નરકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી મહત્તરક યાવત્ મહા વિસ્તીર્ણતર નથી, મહાપ્રવેશનતરક યાવત્ આકીર્ણ નથી. તે નરકોમાં નૈરયિકો અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકોથી અલ્પકર્મ વાળા યાવત્ અલ્પક્રિયાવાળા છે પણ મહાકર્મવાળા અને મહાક્રિયાવાળા નથી. મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે, અલ્પઋદ્ધિવાળા અને અલ્પદ્યુતિવાળા નથી. છઠ્ઠી તમામૃથ્વીમાં નરકો પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નરકોથી મહત્તર આદિ છે, મહાપ્રવેશનાવાળાદિ નથી. તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 32