________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તેમ જ પૂછવું, તેમ જ કહેવું. વિશેષ એ કે - બે વેદે ઉપજે, નપુંસકવેદ ન ઉપજે. બાકી પૂર્વવતું. ઉદ્વર્તના પણ તે પ્રમાણે જ છે. વિશેષ એ કે અસંજ્ઞી ઉદ્વર્તે. અવધિજ્ઞાની - અવધિદર્શની ન ઉપજે. બાકી પૂર્વવતુ. સત્તાના વિષયમાં પણ પૂર્વવત્. વિશેષ એ કે - સંખ્યાતા સ્ત્રીવેદક કહ્યા, એ રીતે પુરુષવેદક પણ છે, નપુંસકવેદક નથી. ક્રોધ કષાયી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. એ પ્રમાણે માની, માયી જાણવા. લોભકષાયી સંખ્યાતા જાણવા, બાકી પૂર્વવત્ છે. ત્રણે આલાવામાં સંખ્યાત યોજનમાં ચાર લેશ્યાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ છે, વિશેષ એ કે - ત્રણે આલાવામાં અસંખ્યાતા કહેવા યાવત્ અસંખ્યાતા અચરિમો કહેવા. ભગવદ્ નાગકુમારાવાસ કેટલા છે ? ગૌતમ ! નાગકુમારોના ૮૪-લાખ આવાસો છે. એ પ્રમાણે યાવત સ્વનિતકુમારો કહેવા. વિશેષ એ કે - જ્યાં જેટલા લાખ ભવન હોય ત્યાં તેટલા ભવન કહેવા. ભગવન્! વ્યંતરાવાસ કેટલા લાખ છે? ગૌતમ! અસંખ્યાત. ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ ! તે સંખ્યાત વિસ્તૃત છે, અસંખ્યાત નહીં. ભગવદ્ ! સંખ્યાત વિસ્તૃત વ્યંતરાવાસમાં એક સમયમાં કેટલા વ્યંતરો ઉપજે છે ? એ રીતે જેમ સંખ્યાત વિસ્તૃત અસુરકુમારાવાસમાં ત્રણ આલાવા છે, તેમ કહેવા. વ્યંતરોના પણ ત્રણ આલાવા કહેવા. ભગવન્! જ્યોતિષ્ક વિમાનાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! અસંખ્યાત છે. ભગવન્! તે સંખ્યાત યોજના વિસ્તૃત છે? એ રીતે વ્યંતરની માફક જ્યોતિષ્કના પણ ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - એક તેજોલેશ્યા જ હોય. ઉદ્વર્તનાદિમાં અસંજ્ઞી હોતા નથી. બાકી પૂર્વવત્. ભગવદ્ ! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ગૌતમ ! ૩૨-લાખ. ભગવન્! તે સંખ્યાનયોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન ? ગૌતમ ! બંને છે. ભગવદ્ ! સૌધર્મકલ્પના સંખ્યાત વિસ્તૃત ૩૨–લાખ વિમાનાવાસમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉપજે છે ? કેટલા તેજોલેશ્યી ઉપજે છે ? એ રીતે જ્યોતિષ્કની માફક ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - ત્રણેમાં સંખ્યાતા કહેવા. અવધિજ્ઞાની અવધિદર્શનીનું ચ્યવન પણ કહેવું, બાકી પૂર્વવતું. - અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ રીતે ત્રણ આલાવા કહેવા. માત્ર ત્રણે આલાવામાં અસંખ્યાત કહેવા. અવધિ જ્ઞાની-દર્શની સંખ્યાતા ચ્યવે છે, બાકી પૂર્વવતુ. સૌધર્મ માફક ઇશાનમાં પણ છ આલાવાઓ કહેવા. સનકુમારમાં પણ એ પ્રમાણે છે, માત્ર સ્ત્રીવેદક ત્યાં નથી ઉપજતા, તેની સત્તા નથી, માટે ન કહેવા. અસંજ્ઞી ત્રણે આલાવામાં ન કહેવા. બાકી પૂર્વવત્. એ પ્રમાણે સહસાર સુધી કહેવું. વિમાન અને લેગ્યામાં વિવિધતા છે. ભગવનઆનત-પ્રાણતમાં કેટલા સો વિમાનો છે? ગૌતમ ! 400 છે. તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તૃત છે ઇત્યાદિ? ગૌતમ ! બંને છે. સંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા સહસ્ત્રાર મુજબ કહેવા. અસંખ્યાત વિસ્તૃતમાં ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે તેમાં સંખ્યાત કહેવા, સત્તામાં અસંખ્યાત કહેવું. વિશેષ એ કે - નોઇન્દ્રિય-ઉપયુક્ત, અનંતરોપપન્નક અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, આ બધામાં જઘન્યથી એક બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કહ્યા છે, બાકીનામાં અસંખ્યાતા કહેવા. આરણ-અર્ચ્યુતમાં આનત-પ્રાણત માફક કહેવું. વિમાનમાં વૈવિધ્ય છે. એ રીતે રૈવેયકમાં છે અનુત્તર વિમાનો કેટલા છે ? ગૌતમ ! પાંચ. ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ ! એક સંખ્યાત વિસ્તૃત છે, બાકીના અસંખ્યાત વિસ્તૃત છે. ભગવદ્ ! પાંચે અનુત્તર વિમાનમાં જે સંખ્યાત વિસ્તૃત વિમાન છે, તેમાં એક સમયમાં કેટલા અનુત્તરોપપાતિક દેવો ઉપજે છે ? કેટલા શુક્લલેશ્યી ઉપજે છે ? પ્રશ્ન તે પ્રમાણે જ ગૌતમ ! સંખ્યાત વિસ્તૃત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 31