SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક૧૩ સૂત્ર-૫૬૩ એક ગાથા દ્વારા આ તેરમાં શતકના દશ ઉદ્દેશાઓ જણાવે છે, તે આ પૃથ્વી, દેવ, અનંતર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મ, અનગારમાં કેયાઘટિકા, સમુઘાત. શતક.૧૩, ઉદ્દેશો.૧ પૃથ્વી સૂત્ર-પ૬૪ થી પ૬૬ પ૬૪. રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત - રત્નપ્રભા. યાવત્ અધઃસપ્તમી. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ ! 30 લાખ. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ ! તે સંખ્યાત યોજન. વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસમાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસમાં એક સમયમાં 1. કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? 2. કેટલા કાપોતલેશ્યી? 3. કેટલા કૃષ્ણપાક્ષિક ? 4. કેટલા શુક્લપાક્ષિક? 5. કેટલા સંજ્ઞી ? 6. કેટલા અસંજ્ઞી ? 7. કેટલા ભવસિદ્ધિક ? 8. કેટલા અભવસિદ્ધિક ? 9. કેટલા આભિનિબોધિક જ્ઞાની ? 10. કેટલા શ્રુતજ્ઞાની ? 11. કેટલા અવધિજ્ઞાની ? 12. કેટલા મતિઅજ્ઞાની ? 13. કેટલા. શ્રુતઅજ્ઞાની ? 14. કેટલા વિર્ભાગજ્ઞાની ? 15. કેટલા ચક્ષુદર્શની ? 19. કેટલા અચક્ષુદર્શની ? 17. કેટલા અવધિદર્શની ? 18. કેટલા આહાર-સંજ્ઞોપયુક્ત ? 19. કેટલા ભયસંજ્ઞોપયુક્ત ? 20. કેટલા મૈથુનસંજ્ઞોપયુક્ત ? 21. કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત ? 22. કેટલા સ્ત્રીવેદક ? 23. કેટલા પુરુષવેદક ? 24. કેટલા નપુંસકવેદક? 25. કેટલા ક્રોધકષાયી 26 થી 28, યાવતુ કેટલા લોભકષાયી? 29 થી 34. કેટલા શ્રોત્રેન્દ્રિયોપયુક્ત યાવત્ સ્પર્શનેન્દ્રિયોપયુક્ત ? 34. કેટલા નોઇન્દ્રિયોપયુક્ત ? 35 થી 37. કેટલા મનોયોગી યાવત્ કાયયોગી ? 38. કેટલા સાકારોપયુક્ત ? 39. કેટલા અનાકારોપયુક્ત ? આ બધા. કેટલા ઉપજે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસમાં સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકોમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નૈરયિકો ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોત-લેશ્યી ઉપજે છે. જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક ઉપજે છે. એ પ્રમાણે શુક્લપાક્ષિક, સંજ્ઞી, અસંજ્ઞી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક યાવત્ વિભંગાની ઉપજે છે. ચક્ષુદર્શની ઉત્પન્ન થતા નથી, અચક્ષુદર્શની એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે અવધિ જ્ઞાની, આહારસંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહસંજ્ઞોપયુક્ત ઉપજે છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી ઉત્પન્ન થતા નથી, નપુંસક - વેદક એક, બે કે ત્રણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી ઉપજે છે. શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉપજતા નથી. નોઇન્દ્રિયોપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. મનોયોગી, વચનયોગી ઉપજતા નથી. કાયયોગી, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે છે. આ પ્રમાણે સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત પણ જાણવા. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉદ્વર્તે? કેટલા કાપોતલેશ્યી ઉદ્વર્તે યાવતુ કેટલા અનાકારોપયુક્ત ઉદ્વર્તે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત નૈરયિક ઉદ્વર્તે છે. એ પ્રમાણે યાવત્ સંજ્ઞી, અસંજ્ઞી ઉદ્વર્તતા નથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 28
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy