SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે? હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે. 2. કથંચિત નોઆત્મરૂપ છે. 3. કથંચિત આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. 4. કથંચિત આત્મ અને નોઆત્મા છે. 5 થી 8. કથંચિત આત્મ અને અવક્તવ્ય, 9 થી 12. કથંચિત નો આત્મા અને અવક્તવ્ય. 13 થી 16. કથંચિત આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. 17. કથંચિત આત્મ, નોઆત્મા, અનેક અવક્તવ્ય. 18. કથંચિત આત્મા, અનેક નોઆત્મા અને અવક્તવ્ય. 19. કથંચિત અનેક આત્મા, નો આત્મા, અવક્તવ્ય. ભગવન્! એમ કેમ કહ્યું કે ચતુઃપ્રદેશિક સ્કંધ આ રીતે છે? હે ગૌતમ ! 1. આત્માદષ્ટિથી આત્મરૂપ છે, 2. પરાદષ્ટિથી નોઆત્મરૂપ છે, 3. તદુભયાદૃષ્ટિથી અવક્તવ્ય છે, 4 થી 16. એકદેશા દૃષ્ટિથી સદ્ભાવપર્યાયમાં એકદેશા દૃષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં ચાર ભંગ છે. સદ્ભાવ પર્યાયથી તદુભય વડે ચાર ભંગ, અસદ્ભાવથી તદુભય વડે ચાર ભંગ, એકદેશ આદિષ્ટથી સદ્ભાવ પર્યાયમાં, એકદેશા દષ્ટિથી અસદ્ભાવ પર્યાયમાં, એકદેશા દિષ્ટથી તદુભયપર્યાયમાં ચતુઃ પ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવક્તવ્ય, એકદેશા દિષ્ટ સંભાવપર્યાયમાં એકદેશા દિથી અસદ્ભાવ પર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં ચતુઃપ્રદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક અવક્તવ્ય છે. 18. દેશાદિષ્ટથી સદુભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી અસદુભાવ પર્યાયમાં, દેશાદિષ્ટથી તદુભય પર્યાયમાં, ચતુઃપ્રદેશિક સ્કંધ આત્મા, અનેક નોઆત્મા, અવક્તવ્ય છે. 19. અનેક દેશાદિષ્ટથી સંભાવપર્યાય, એકદેશાદિષ્ટ અભાવ પર્યાય, એક દેશાદિષ્ટ તદુભય પર્યાય ચતુઃપ્રદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે. ભગવન્! પંચપ્રદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે? ગૌતમ ! પંચપ્રદેશિક સ્કંધ 1. કથંચિત આત્મરૂપ છે, 2. કથંચિત નોઆત્મરૂપ છે, 3. કથંચિત અવક્તવ્ય છે, 4 થી 7. કથંચિત આત્મરૂપ, નોઆત્મરૂપ, છે. 8 થી 11. કથંચિત આત્મરૂપ અને અવક્તવ્ય, 12 થી 15. કથંચિત નોઆત્મરૂપ અને અવક્તવ્ય.ત્રિકસંયોગીઆઠ ભંગમાંથી ક આઠમો ભંગ ઘટિત થતો નથી. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! 1. પંચપ્રદેશિક સ્કંધ આત્માદિષ્ટથી આત્મરૂપ, 2. પરાદિષ્ટથી નોઆત્મારૂપ, 3. તદુભયાદિષ્ટથી અવક્તવ્ય. - દેશાદિષ્ટથી સભાવ પર્યાય, દેશાદિષ્ટથી અભાવ પર્યાય, એ પ્રમાણે બ્રિકસંયોગી બધા ભંગ થાય છે. ત્રિકસંયોગમાં એક ભંગ ન કહેવો. છપ્રદેશી સ્કંધમાં બધા ભંગ થાય છે. જેમ છપ્રદેશી છે. તેમ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ જાણવા. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ | શતક-૧૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 27
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy