SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઇચ્છિત-પ્રતિષ્ઠિત છે. ભગવાન ! આપે કહ્યો તે આ અર્થ સત્ય છે. કેમ કે અરહંત ભગવંતો અપૂતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. સૂત્ર—૧૦૮૦ થી 1087 1080. પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના 84 લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. 1081. ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમ-વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. 1082. ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ. 1083. કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અમ્લાન કોરંટની કળી સમાન ભગવતી શ્રુતદેવી મારા મતિ. અંધકારને વિનષ્ટ કરે. 1084. હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ધ દ્વારા નમંસિતા શ્રુતાધિષ્ઠાત્રિ દેવી મને બુદ્ધિ આપે. 1085. જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે મૃત દેવતાને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. 1086. મૃતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોચ્યા, વિદ્યા અને અંત હુંડી, લખનારને અવિપ્ન આપો. 1087. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના બબ્બે ઉદ્દેશકોને ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશ કરાય છે. નવમા શતકથી આરંભીને જેટલુ-જેટલું દિવસ વડે વીસમાં શતક સુધી ઉદ્દેશો કરાય છે. માત્ર ગોશાળો એક દિવસ વડે ઉદ્દેશાય છે. જો શેષ રહી જાય તો એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહે તો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. ૨૧થી 23 શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ૨૪મું શતક બે દિવસ વડે છ-છ ઉદ્દેશા, ૨૫મું બે દિવસે છ-છ ઉદ્દેશા વડે, બંધિશતક આદિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા ૨૧-સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક-એક દિવસ વડે અલગ-અલગ. ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિયુગ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો. શતક-૪૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ [5] ભગવતીસૂત્ર ભાગ-ર સાનુવાદ સમાપ્ત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 234
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy