________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રથમ ઉદ્દેશા માફક યાવત્ અનંતરવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. ભગવદ્ ! પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? સંજ્ઞી. પંચેન્દ્રિયના પ્રથમ સમય ઉદ્દેશા મુજબ તેમજ સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે - ભગવદ્ ! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવતુ. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. ભગવદ્ ! તે એમ જ છે. આ પ્રમાણે આ ૧૧-ઉદ્દેશા કૃષ્ણલેશ્યી શતકમાં છે. પહેલો-ત્રીજો-પાંચમો સમાન ગમક છે. બાકી આઠ સમાન ગમક છે. ભગવન્! આપ કહો છો, તે એમજ છે, તે એમજ છે. શતક-૪૦, શતકશતક-૨, ઉદ્દેશા-૩ થી 11 સૂત્ર-૧૦૬૭ એ પ્રમાણે નીલલેશ્યી શતક છે. વિશેષ એ - સંચિઠ્ઠણા-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવતુ. - x.x. એ પ્રમાણે કાપોતલેશ્યી શતક પણ છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્. - 4. એ પ્રમાણે તેજોલેશ્યા શતક જાણવું. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનોઅસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્ર નોસંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્. ભગવન્! તેમજ છે, તેમજ છે. તેજોલેશ્યા શતક સમાન પદ્મવેશ્યા શતક છે. વિશેષ એ - સંચિટ્ટણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી પૂર્વવત્. શુક્લલેશ્યા શતક, ઔધિક શતક સમાન. વિશેષ એ - સંચિટ્ટણા, સ્થિતિ કૃષ્ણલેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર. ભગવદ્ ! ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવુ. ભવસિદ્ધિકના આલાવાથી શું સર્વે પ્રાણો ? ના, તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવતુ. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુમ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? આ આલાવા વડે ઔધિક કૃષ્ણ લેશ્યી શતક સમાન છે. એ પ્રમાણે નીલલેશ્યી ભવસિદ્ધિક શતક જાણવુ. ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ એ - સાતે શતકમાં સર્વે પ્રાણો યાવત્ તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તેમજ છે. ભગવાન ! અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃષ્ણલેશ્યી શતક સમાન છે. તેઓ કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી હોય, માત્ર મિથ્યાષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું કૃષ્ણલેશ્યા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિકૃણા, સ્થિતિ ઔધિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્યાત છે. ઉદ્વર્તના પૂર્વવત્, અનુત્તર વિમાન ન કહેવું. સર્વે પ્રાણો ? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃષ્ણલેશ્યા શતક મુજબ યાવત્ અનંતવાર. એ પ્રમાણે સોળે યુગ્મોમાં છે. ભગવન્! પ્રથમ સમય અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજ ? સંજ્ઞીના. પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યત્વ, સમ્યમિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવત્. અહીં પણ ૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો-ત્રીજો-પાંચમો એક નમક, બાકી આઠ એક ગમક. ભગવન્! કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજ ? ઔધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 229