SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૪૦ શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૧૦૬૪ કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત. વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. પરિમાણ, અપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક છે, અબંધક નથી. મોહનીયના વેદક કે અવેદક છે. બાકીની સાત પ્રકૃતિના વેદક છે, અવેદક નથી. સાતાઅસાતાના વેદક છે, મોહનીયના ઉદયી કે અનુયી, બાકીની સાતના ઉઠી છે. નામ-ગોત્રના ઉદીરક છે, અનુદીરક નથી, બાકીની છના ઉદીરક કે અનુદીરક છે. કૃષ્ણ યાવતુ શુક્લલેશ્યી છે. સમ્યકુ-મિથ્યા કે મિશ્ર દૃષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મન-વચન-કાયયોગી છે. ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિઃશ્વાસક, આહારકનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિરત-અવિરત-વિરતા વિરત છે, ક્રિયા સહિત છે. ભગવદ્ ! તે જીવો શું સપ્તવિધ બંધક છે કે અષ્ટવિધ, ષવિધ અથવા એકવિધ બંધક છે? ગૌતમ! તે ચારે છે. ભગવદ્ ! તે જીવો શું આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ગૌતમ! આહાર યાવત્ નોસંજ્ઞોપયુક્ત છે. આ પ્રમાણે બધે પ્રશ્નોત્તર યોજના કરવી. તેઓ ક્રોધકષાયી યાવત્ લોભકષાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદક કે અવેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે અબંધક હોય. સંજ્ઞી છે, ઇન્દ્રિયસહિત છે. સંચિટ્ટણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથત્વ સાતિરેક. આહાર પૂર્વવત્ યાવત્ નિયમાં છ દિશાથી. સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, આદિના છ સમુધ્ધાતો, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈને મરે. ઉદ્વર્તના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી. ભગવન્સર્વે પ્રાણો યાવતુ અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા યાવત્ અનંતરવા. પરિમાણ, બેઇન્દ્રિય સમાન. બાકી પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૦, શતકશતક-૧, ઉદ્દેશો-૨ થી 11 સૂત્ર-૧૦૬૫ પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉધ્યી, ઉદીરકા બેઇન્દ્રિયના શતક-૧ મુજબ. કૃષ્ણલેશ્યી ચાવત્ શુક્લલેશ્યી. બાકીનું બેઇન્દ્રિયના પહેલા શતક મુજબ યાવત્ અનંતવાર. વિશેષ એ - તેઓ સ્ત્રી-પુરુષનપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં. બાકી પૂર્વવત્. એ રીતે સોળે યુગ્મોમાં જાણવુ, પરિમાણ પૂર્વવત્. આ પ્રમાણે અગિયારે ઉદ્દેશા પૂર્વવતું. પહેલો, ત્રીજો, પાંચમો સદશ ગમવાળા છે, બાકી આઠે પણ સદશગમાં છે. ચોથા, છઠ્ઠી, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૪૦, શતકશતક-૨ સૂત્ર-૧૦૬૬ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? સંજ્ઞીના પહેલા ઉદ્દેશા મુજબ જાણવુ. વિશેષ એ કે - બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક. આ પદો બેઇન્દ્રિયો માફક જાણવા. કૃષ્ણલેશ્યી સંજ્ઞીને ત્રણે વેદ હોય, અવેદક ન હોય, સંચિટ્ટણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૩૩-સાગરોપમ, એ પ્રમાણે સ્થિતિ પણ છે, માત્ર સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 228
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy