________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૯૩૫ ભગવન્! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપ્રથ7. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય. કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્રપૃથ7. ભગવન્બકુશો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શત પ્રથ7. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી કોડી શત પૃથક્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે. કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્ર પૃથત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહસ્ર પૃથc. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ 162 હોય છે, તેમાં ક્ષપક શ્રેણીવાળા 108, ઉપશમ શ્રેણીવાળા-પ૪ હોય છે. પૂર્વ પ્રતિપન્ન અપેક્ષાએ કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથત્વ છે. સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! પ્રતિપદ્યમાન આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી 108, પૂર્વ પ્રતિપન્ન ને આશ્રીને જઘન્યથી કોડી પૃથત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથ7. ભગવન્! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ચન્થ અને સ્નાતકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા નિર્ચન્થો, પુલાકો સંખ્યાતગણા, સ્નાતકો સંખ્યાલગણા, બકુશો સંખ્યાલગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાલગણા, કષાયકુશીલ સંખ્યાતગણા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૭ “સંત” સૂત્ર-૯૩૬ થી 941 936. ભગવદ્ ! સંયતો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે-સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયત. ભગવન્સામાયિક સંયત કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - ઇત્વરિક અને યાવત્કથિત. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર. પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા. ગૌતમ ! બે ભેદે નિર્વિસમાનિક નિર્વિષ્ટકાયિક. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - સંક્નિશ્યમાનક અને વિશુદ્ધમાનક. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે -છદ્મસ્થ અને કેવલી. 937. સામાયિક ચારિત્ર સ્વીકારી, ચાતુર્યામ અનુત્તર ધર્મને જે ત્રિવિધ સ્પર્શતો તેસામાયિક સંયત કહેવાય. 938. પૂર્વ પર્યાયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે. 939. જે પાંચ મહાવ્રતરૂપ અનુત્તર ધર્મને ત્રિવિધ સ્પર્શતો વિશુદ્ધ તપને ધારણ કરે છે, તે પરિવાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. 940. જે સુક્ષ્મ લોભને વેદન કરતો, ઉપશમક કે ક્ષેપક હોય છે. તે સૂક્ષ્મ સંપરાય સંયત છે, તે યથાખ્યાતથી કિંચિત્ હીન હોય. 941. મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છદ્મસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયતા કહેવાય છે. સૂત્ર-૯૪૨, 943 942. ભગવદ્ ! સામાયિક સંયત, શું સવેદી હોય કે અવેદી ? ગૌતમ! સવેદી પણ હોય, અવેદી પણ હોય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 190