________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જાણવા. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક ભવ કરે.. 928. ભગવદ્ ! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિસેવના અને કષાયકુશીલ જાણવા. નિર્ઝન્થનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે. સ્નાતકનો પ્રશ્ન ? ગૌતમ! એક ભવાકર્ષ હોય.. ભગવન્! મુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સ્નાતક ? એકે નહીં. સૂત્ર-૯૨૯, 930 929. ભગવન ! પુલાક કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મહર્ત. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. નિર્ચન્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનૂન પૂર્વકોડી. ભગવદ્ ! પુલાકો કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. બકુશો વિશે પૃચ્છા. ગૌતમ! સર્વકાળ એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવુ. નિર્ચન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવત્ જાણવા. 930. ભગવદ્ ! પુલાકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત, અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશ ન્યૂન અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ રીતે યાવત્ નિર્ચન્થ. સ્નાતકો વિશે પૃચ્છા. તેમને. અંતર નથી. ભગવદ્ ! પુલાકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો. બકુશો વિશે પ્રશ્ન ? ગૌતમ! અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવુ. નિર્ગુન્થો વિશે પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા. સૂત્ર-૯૩૧ થી 934 931. ભગવન્! પુલાકને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ ! ત્રણ વેદના - કષાય અને મારણાંતિક સમુધ્ધાત. ભગવદ્ ! બકુશને ? પાંચ સમુદ્યાત - વેદના યાવત્ તૈજસ સમુઠ્ઠાત. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. કષાય કુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! છ સમુદ્ધાતો છે. વેદના યાવત્ આહાર સમુદ્યાત. નિર્ગસ્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક પણ નથી. સ્નાતક વિશે પ્રચ્છા-ગૌતમ! એક જ કેવલી સમુદ્યાત. 932. ભગવન્! મુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય ? સંખ્યાત ભાગોમાં હોય ? અસંખ્યાત ભાગોમાં હોય ? સર્વલોકમાં હોય ? ગૌતમ ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિર્ચન્થ સુધી કહેવું. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય. 933. ભગવનું પુલાકલોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી. તેમ સ્પર્શના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. 934. ભગવન્! પુલાક, કયા ભાવમાં હોય છે ? ગૌતમ! તે ક્ષાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ચન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! ઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! ક્ષાયિક ભાવમાં હોય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 189