________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે. ભગવદ્ ! એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા, અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. પ્રદેશાર્થતાથી સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો અપ્રદેશાર્થતાથી, સંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. દ્રવ્ય-પ્રદેશાર્થતાથી સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થતાથી છે, અસંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા. ભગવદ્ ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં ? અવગાહના મુજબ અહીં પણ કહેવું. ભગવન્! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા પુદ્ગલો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે ? આનું અલ્પબદુત્વ પરમાણુ પુદ્ગલના અલ્પબહુત્વ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવુ. ભગવદ્ ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી છે. સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા છે, અસંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંતગણા છે. પ્રદેશાર્થતાથી એમ જ છે. માત્ર સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી. થોડા એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંતગુણ છે. એ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘુનું પણ અલ્પબદુત્વ જાણવુ. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષનું અલ્પ-બહુત્વ વર્ણ માફક કહેવું. સૂત્ર-૮૮૯, 890 889. ભગવન્! પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ! કતયુગ્મ –સ્રોજ-દ્વાપરયુગ્મ નથી, માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન, ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધો સુધી જાણવુ. ભગવદ્ પરમાણુ પુદ્ગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ-ભ્યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. દ્વિપ્રદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમ-ચોક-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશી પ્રચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, વ્યોજ છે. ચતુઃસ્વદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતયુગ્મ છે, બાકી ત્રણ નથી. પંચપ્રદેશી પૃચ્છા. પરમાણુ પુદ્ગલ મુજબ જાણવું. ષષ્ઠદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી મુજબ છે. અષ્ટપ્રદેશી, ચતુઃખદેશીવતુ છે. નવપ્રદેશી, પરમાણુ પુગલવત્ છે. દશપ્રદેશી, દ્ધિપ્રદેશી માફક છે. ભગવન્! સંખ્યાતપ્રદેશી પુદ્ગલની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપ્રદેશ પણ છે. ભગવન્! એક પરમાણુ પુદ્ગલો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 176