SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભેદો કહેવા યાવત્ પૃથ્વીકાયિક. ભગવન્! અપ્રકાયિક, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ, ઉત્કૃષ્ટી 22,000 વર્ષમાં ઉપજે. એ રીતે પૃથ્વીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી 7000 વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજા, છઠ્ઠી, સાતમા, આઠમા, નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજા ગમમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ. ઉત્કૃષ્ટથી 1,16,000 વર્ષ કાળ રહે. છઠ્ઠી ચમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 88,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 7000 વર્ષ, ઉત્કૃષ્ટ 1,16,000 વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 7000 વર્ષ, ઉત્કૃષ્ટ 28,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક કાળ રહે. નવમાં ગમકમાં ભવાદેશથી જઘન્ય બે ભવ - ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય 29,000 વર્ષ, ઉત્કૃષ્ટ 1,16,000 વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અપકાય સ્થિતિ છે. જો તેઉકાયથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ લેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલાપ સંસ્થાન, સ્થિતિ જાણવી. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મહત્ત્વ અધિક 22,000 વર્ષ સ્થિતિઉત્કૃષ્ટ થી ૧૨-રાત્રિદિવસ અધિક 88,000 વર્ષ રહે. એ પ્રમાણે સંવેધ ઉપયોગ કરવો કહેવો. જો વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાયિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાયિક માફક કહેવા. વિશેષ એ- પતાકા સંસ્થાન, સંવેધ હજારો વર્ષોથી કહેવો. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ - ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. જો વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અપ્રકાયિકના ગમ સમાન નવ ગમક કહેવા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવગાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક 1000 યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃથ્વીકાયિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અને અંતર્મહત્ત્વ અધિક ઉત્કૃષ્ટથી 1,28,000 કાળ કહેવો. સંવેધ ઉપયોગ પૂર્વક કહેવો. સૂત્ર-૮૪૭ જો બેઇન્દ્રિયથી ઉપજે તો શું પર્યાપ્તા બેઇન્દ્રિયથી ઉપજે કે અપર્યાપ્તથી ? ગૌતમ ! બંનેમાંથી આવીને ઉપજે. ભગવદ્ ! જે બેઇન્દ્રિય પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો એક સમયમાં ? ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત. સેવાર્ત સંઘયણ, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી 12 યોજન હુંડક સંસ્થાન, ત્રણ લેશ્યા, સમ્યગૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ, બે જ્ઞાન - બે અજ્ઞાન નિયમા, વચન અને કાયયોગી, ઉપયોગ બંને, ચાર સંજ્ઞા, ચાર કષાય, બે ઇન્દ્રિય - જીહા અને સ્પર્શ, ત્રણ સમુઘાત, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ. વિશેષ એ કે સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી બાર વર્ષ, એ રીતે અનુબંધ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ, આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા. વિશેષ એ - ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અને અંતર્મુહર્ત અધિક, ઉત્કૃષ્ટ 48 વર્ષ અધિક, 88,000 વર્ષ, આટલો કાળ રહે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 151
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy