SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૨૪,ઉદ્દેશો-૪ થી 11' ‘સુવર્ણકુમારાદિ ' સૂત્ર-૮૪૫ બાકીના સુવર્ણકુમારથી સ્વનિતકુમાર સુધીના આઠે ઉદ્દેશા નાગકુમારની માફક સંપૂર્ણ કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૧૨ પૃથ્વીકાયિક' સૂત્ર-૮૪૬ ભગવન્! પૃથ્વીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ? ગૌતમ! તે નૈરયિકથી નહીં, પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે. જો તે તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિય તિર્યંચથી. ઇત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવત્ જો બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તબાદર૦ યાવત્ ઉપજે કે અપર્યાપ્ત બાદર૦થી ? ગૌતમ! બંને પ્રકારે યાવત્ ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! પ્રતિસમય અવિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાર્ત સંઘયણી, શરીરવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ, મસુર ચંદ્ર સંસ્થિત, ચાર લેશ્યા, માત્ર મિથ્યા-દષ્ટિ, અજ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાયયોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચાર કષાય, એક સ્પર્શનેન્દ્રિય, ત્રણ સમુદ્યાત, બે વેદના, માત્ર નપુંસક વેદક, સ્થિતિ-જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી 22,000 વર્ષ પ્રશસ્ત-અપ્રશસ્ત અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે. ભગવન્! તે પૃથ્વીકાય ફરી પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ હુર્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્ બધું કહેવું. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 22,000 વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય 22,000 વર્ષ અંતર્મુહૂર્ત અધિક અને ઉત્કૃષ્ટથી 1,76,000 વર્ષ. આટલો કાળ યાવતું ગમનાગમન કરે. તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા ગમક સમાન કહેવું. માત્ર વેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, અપ્રશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવતું. તે જો જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે, તો ચોથા ગમનું કથન. તે જો ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવત્ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતર્મુહર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 88,000 વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક, આટલો કાળ રહે. તે જો સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીજા ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત. એ રીતે સાતમાં ગમ માફક યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 22,000 વર્ષ, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક 88,000 વર્ષ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ 22,000 વર્ષ સ્થિતિમાં ઉપજે. અહીં સાતમા ગમની વક્તવ્યતા જાણવી યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા 4,000 વર્ષ, ઉત્કૃષ્ટથી 1,76,000 વર્ષ. જો અપુકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અપૂ૦, બાદર અપુ એ પ્રમાણે આ ચાર મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 150
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy