________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત - ઉત્કૃષ્ટી પૂર્વકોડી. 19. ભગવન્! તે જીવો કેટલા અધ્યવસાયવાળા છે? ગૌતમ ! અસંખ્ય. ભગવન્! તેઓ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત ? ગૌતમ! બંને. 20. ભગવદ્ ! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. 21. ભગવન્! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે કેટલો કાળ સેવે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી 10,000 વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પૂર્વકોડી અધિક આટલો કાળ સેવે, આટલો કાળ ગતિ-આગતિ કરે. 2. ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ પણ 10,000 વર્ષ સ્થિતિમાં. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ ! અહીં બધી જ વક્તવ્યતા સંપૂર્ણ પૂર્વવત્ કહેવી. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભા. પૃથ્વીમાં નૈરયિક થઈ, પછી ફરી પર્યાપ્તા અસંજ્ઞીમાં યાવત્ કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય 10,000 વર્ષ અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક આટલો. કાળ રહે, આટલો કાળ ગમનાગમન કરે. 3. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભગવદ્ ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે. બાકી બધું પૂર્વવત્ અનુબંધ સુધી જાણવુ. ભગવદ્ ! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ફરી પર્યાપ્તા યાવતુ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે કાલાદેશથી જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલો કાળ સેવે, ગતિ-આગતિ કરે. 4. જઘન્ય કાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક હોય, ભગવદ્ ! તે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય તો ભગવનું ! તે કેટલો કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિથી ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? બાકી પૂર્વવતુ. વિશેષ એ કે- આ ત્રણ જ્ઞાન, આયુ, અધ્યવસાય, અનુબંધમાં અંતર છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ભગવન્! તે જીવોના કેટલા અધ્યવસાન છે ? અસંખ્ય. ભગવદ્ ! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત ? ગૌતમ! પ્રશસ્ત નથી, અપ્રશસ્ત છે. અનુબંધ અંતર્મુહૂર્ત છે. બાકી પૂર્વવતુ. ભગવન્! તે જઘન્યકાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય રત્નપ્રભા યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, આટલો કાળ રહે, યાવત્ ગતિ-આગતિ કરે. 5. ભગવદ્ ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જઘન્યકાલ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વીનૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી. 10,000 વર્ષમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો. બાકી પૂર્વવત્, તેને ત્રણ જ્ઞાનો છે યાવત્ ભગવદ્ ! તે જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ યોનિમાં જઘન્ય કાળસ્થિતિક રત્નપ્રભામાં ફરી યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે. 6. ભગવદ્ ! જઘન્યકાળ સ્થિતિક યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 142