SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૪ સૂત્ર-૮૩૫, 836 835. ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉચ્ચત્વ, સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ. 836. સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વેદ, આયુ, અધ્યવસાય, અનુબંધ, કાયસંવેધ. સૂત્ર-૮૩૭ પ્રત્યેક જીવપદમાં જીવોના આ 24 દંડકના 24 ઉદ્દેશા કહેવાશે. શતક-૨૪,ઉદ્દેશો-૧ નૈરયિક સૂત્ર-૮૩૮ રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવન્! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિર્યંચ યોનિકથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજ ? ગૌતમ! એક-બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે. જો પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે? ગૌતમ! બંનેમાંથી ઉપજે. જો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર-સ્થલચર કે ખેચરથી આવીને ઉપજે ? ગૌતમ! ત્રણેમાંથી ઉપજે. જો જલચર, સ્થલચર, ખેચરથી આવીને ઉપજે તો શું પર્યાપ્તથી કે અપર્યાપ્તથી આવીને ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી આવીને ઉપજે, અપર્યાપ્તાથી નહીં. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં હે ભગવન્! જે નૈરયિક ઉત્પન્ન થાય તો, ભગવન્! કેટલી પૃથ્વીમાં ઉપજે છે ? ગૌતમ ! એક રત્નપ્રભા પૃથ્વીમાં ઉપજે છે. 1. ભગવદ્ ! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક માંથી રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે. 2. ભગવદ્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. 3. ભગવદ્ ! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે ? ગૌતમ! સેવાર્ત સંઘયણમાં. 4. ભગવદ્ તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. 5. ભગવન્! તે જીવોના શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ! હુંડક સંસ્થાને. 6. ભગવન્! તે જીવોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ! ત્રણ -કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. 7. ભગવન્! તે જીવો સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યમિથ્યાદૃષ્ટિ છે? ગૌતમ! તેઓ સમ્યક્ દષ્ટિ કે સમ્યમિથ્યાદષ્ટિ નથી, પણ મિથ્યાદષ્ટિ છે. 8. ભગવદ્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમજ્ઞાની નથી, અજ્ઞાની છે. 9. નિયમા બે અજ્ઞાની છે - મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની. 10. ભગવદ્ ! તે જીવો મન-વચન-કાયયોગી છે ? ગૌતમ! મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે. 11. ભગવદ્ ! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ! બંને. 12. ભગવદ્ ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ! ચાર - આહાર, ભય, મૈથુન, પરિગ્રહસંજ્ઞા. 13. ભગવન્! તે જીવો કેટલા કષાયવાળા છે ? ચાર છે -ક્રોધ, માન, માયા, લોભકષાય. 14. ભગવન્! તે જીવોને કેટલી ઇન્દ્રિયો છે ? ગૌતમ ! પાંચ - શ્રોત્ર, ચક્ષુ યાવત્ સ્પર્શ. 15. ભગવદ્ ! તે જીવોને કેટલા સમુદ્યાત છે? ગૌતમ ! ત્રણ - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. 16. ભગવન ! તે જીવો સાતા વેદક છે કે અસાતવેદક? ગૌતમ! બંને. 17. ભગવદ્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદકો છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ વેદક નથી, નપુંસક વેદક છે. 18. ભગવદ્ ! તે જીવોની કેટલો કાળો મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 141
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy