________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૨ સૂત્ર-૮૨૨ એક ગાથા દ્વારા આ શતક-૨૨ ના છ વર્ગોના નામ કહે છે– તાલ, એકાસ્થિત, બહુબીજક ગુચ્છ, ગુલ્મ, વલ્લી આ છ વર્ગમાં પ્રત્યેકના દશ ઉદ્દેશકો અર્થાત્ ૬૦-ઉદ્દેશા છે. વર્ગ-૧, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૩ રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, સરલ, સારગલ યાવત્ કેતકી, કદલી, ચર્મરૂક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલ, ખજૂર, નારિયેલ આ બધાના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ભગવન્! ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશકો ‘શાલિ માફક કહેવા. વિશેષ એ કે - આ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને શાખા આ પાંચમા દેવો ઉત્પન્ન થતા નથી. લેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 10,000 વર્ષ પછીના પાંચમા દેવો ઉત્પન્ન થાય છે. લેશ્યા ચાર. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથત્વ, અવગાહના મૂળ અને કંદમાં ધનુપૃથત્વ, પુષ્પમાં હસ્ત પૃથક્વ, ફળ-બીજમાં અંગુલ પૃથત્વ, બધાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે છે, બાકી શાલિ' માફક. એ રીતે આ દશ ઉદ્દેશાઓ છે. વર્ગ-૨, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૪ ભગવદ્ ! લીમડો, આંબો, જાંબુ, કોસંબ, તાલ, અંકોલ, પીલુ, સેલુ, સલકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉબરીય, ક્ષીરણી, ધાતકી, પ્રિયાલ, પૂતિક, નિવાગ, સેહક, પાસીય, શીશમ, અતસી, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાના જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકો સંપૂર્ણ તાલવર્ગની માફક કહેવા. વર્ગ-૩, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૫ ભગવદ્ ! અગસ્તિક, તિંદુક, બોર, કપિઠ, અંબાડક, માતૃલિંગ, બિલ્વ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પિપ્પલ, સંતર, પ્લેક્ષવૃક્ષ, કાકોદુબરી, કુસ્તુભરી, દેવદાલિ, તિલક, લકુચ, છત્રૌઘ, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોધક, ધવચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ આ બધાના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવન્! એ પ્રમાણે મૂલ’ આદિ દશ ઉદ્દેશા તાલ વર્ગ સમાન બીજ સુધી જાણવા. વર્ગ-૪, ઉદેશો- 1 થી 10 સૂત્ર-૮૨૬ ભગવન્! વેંગણ, અલકી, પોંડકી ઇત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવા યાવત્ ગંજપાટલા, વાસી અંકોલ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અહીં પણ ‘મૂલ આદિ દશ ઉદ્દેશા ‘બીજ પર્યન્ત ‘તાલવર્ગ’ માફક. વંશવર્ગ માફક કહેવા. વર્ગ-૫, ઉદ્દેશો-૧ થી 10 સૂત્ર-૮૨૭ ભગવન્સિરિયક, નવમાલિક, કોરંટક, બંધુજીવક, મણોજ આદિ પ્રજ્ઞાપનામાં પહેલા પદમાંની ગાથાનુસાર યાવત્ નલિની, કુંદ, મહાજાતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય એ પ્રમાણે અહીં પણ “મૂલ' આદિ દશ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 138